ખુશખબરી દુરૂદ-શરીફ પઢવા વાળા માટે

عن عبد الرحمن بن عوف رضي الله عنه قال: خرج رسول الله صلى الله عليه وسلم فاتبعته حتى دخل نخلا فسجد فأطال السجود حتى خفت أو خشيت أن يكون الله قد توفاه أو قبضه قال: فجئت أنظر فرفع رأسه فقال: ما لك يا عبد الرحمن قال: فذكرت ذلك له فقال: إن جبريل عليه السلام قال لي: ألا أبشرك إن الله عز وجل يقول لك: من صلى عليك صليت عليه ومن سلم عليك سلمت عليه (مسند أحمد، الرقم: 1662 ، وقال البيهقي في الخلافيات 3/143 (عن طريق لهذه الرواية بنحو هذه الألفاظ): قال أبو عبد الله – رحمه الله -: هذا حديث صحيح)

હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ (ઘરેથી) નિકળ્યા તો હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાછળ ચાલવા લાગ્યો. ત્યાં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ એક ખજૂરના બાગમાં દાખલ થયા અને સજદામાં ચાલી ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઘણો લાંબો સજદો કર્યો ત્યાં સુધી કે મારા દિલમાં ડર પૈદા થયો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક રૂહ પરવાઝ કરી ગઈ. તેથી હું (આપની હાલત) જોવા માટે નજદીક આવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાનું મુબારક માથુ ઉઠાવ્યું અને પૂછ્યું: અબ્દુર્રહમાન! શું વાત છે?” મેં પોતાનો ડર અને શક બયાન કર્યો તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “બેશક હઝરત જીબ્રઈલ અલૈહિસ્સલ્લામ મારી પાસે તશરીફ લાવ્યા હતા અને ફરમાવ્યું કે શું હું આપને એ ખુશખબરી ન આપું કે અલ્લાહ તઆલા આપથી ફરમાવી રહ્યા છે કે જે તમારા પર દુરૂદ મોકલે છે, હું એમના ઉપર દુરૂદ (રહમત) મોકલુ છું અને જે તમારા ઉપર સલામ માકલે છે, હું એમના પર સલામ મોકલુ છું.

નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં નામ મુબારકની સાથે દુરૂદ લખવાની પાબંદી

અબુલ હસન મૈમુની (રહ.) કહે છે કે હું મારા ઉસ્તાદ અબુ અલી (રહ.) ને સપનાં માં જોયા એમની આંગળીઓ પર કંઈક વસ્તુ સોના અથવા ઝાફરાન નાં રંગ થી લખ્યુ હતુ.

મેં એમને પુછ્યુ આ શું છે? એવણે કહયુ કે હું હદીષ શરીફ નાં ઉપર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ લખ્યા કરતો હતો. (અલ કવલુલ બદીઅ, ફઝાઈલે દુરૂદ, પેજ નઃ ૧૪૬)

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની તરફથી ખુશખબરી

હઝરત મુહમ્મદ ઉતબી (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે કે મેં મદીના-મુનવ્વરહમાં હાજરી આપી તો હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની મુબારક કબર પર ઝિયારત માટે હાજર થયો.

તે દરમિયાન એક આ’રાબી આવ્યો અને તેણે તેનો ઊંટ મસ્જીદે-નબવીના દરવાજા પાસે બેસાડી દીઘો. પછી તે મુબારક કબર તરફ અગાળી વધ્યો અને અત્યંત આજીઝી અને મોહબ્બતની સાથે સલાતો-સલામ પઢ્યું અને અલ્લાહ તઆલાથી ઘણાં ખૂબસૂરત અંદાજમાં દુઆ કરી.
(આ’રાબી = અરબી ગામડિયો)

પછી તેણે કહ્યું: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મારા માં-બાપ તમારા પર કુર્બાન. બેશક અલ્લાહ તઆલાએ આપને અંતિમ નબી બનાવ્યા છે અને આપ પર વહી (એટલે કુર્આન મજીદની વહ઼ી) નાઝિલ કરી છે. તથા આપ પર એવી અનોખી અને જામેઅ કિતાબ (કુર્આન મજીદ) ઉતારી છે, જેમાં બઘા અંબિયા-એ-કિરામ અને રસૂલોના ઉલૂમ છે.

તે કિતાબમાં અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوا أَنفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَّحِيمًا (سورة النساء: ٦٤)

અને જો આ લોકો જેઓએ પોતાની જાનો પર જુલમ કર્યો; તમારી પાસે આવી જતે અને અલ્લાહ તઆલાથી તેમના ગુનાહોની માફી માંગતે અને રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પણ તેઓના તરફથી માફી તલબ કરતે, તો જરૂર અલ્લાહ તઆલાને તૌબા કબૂલ કરવાવાળા અને ઘણાં રહમ કરવાવાળા પાતૃ.

પછી તે આ’રાબીએ કહ્યું હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! હું આ આયતે-કરીમાના હુકમને પૂરો કરવા માટે આપના રોઝા (મુબારક કબર) પર હાજર થયો છું. બેશક ગુનાહ કરીને મેં મારી જાત ઉપર જુલમ કર્યો છે. હું આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) થી સિફારિશની ભીક માંગતો છું. તમો અલ્લાહ તઆલાથી મારા ગુનાહોની બખશિશ માંગો.

પછી તેણે નીચે લખેલી કવીતા પઢીઃ

يَا خَيْرَ مَنْ دُفِنَتْ بِالْقَاعِ أَعْظُمُهُ ** فَطَابَ مِنْ طِيْبِهِنَّ الْقَاعُ وَالْأَكَمُ

હે જમીનમાં દફન કરવામાં આવેલી સૌથી બેહતરીન હસ્તી, આપની ખુશ્બુથી મૈદાન અને ટીલાઓ ખુશ્બુદાર થઈ ગયા.

نَفْسِيْ الْفِدَاءُ لِقَبْرٍ أَنْتَ سَاكِنُهُ ** فِيْهِ الْعَفَافُ وَفِيْهِ الْجُوْدُ وَالْكَرَمُ

મારી જાન તે કબર પર કુર્બાન થાય, જેમાં આપ રહી રહ્યા છે, તેમાં પાકીઝગી છે અને સખાવત તથા કરમ છે.

أَنْتَ الشَّفِيْعُ الَّذِي تُرْجَى شَفَاعَتُهُ ** عِنْدَ الصِّرَاطِ إِذَا مَا زَلَّتِ الْقَدَمُ

તમે ભલામણકર્તા છો જેની ભલામણ પર અમે ઉમેદવાર છીએ. જ્યારે પુલ-સિરાત પર લોકોના પગ લપસતા હશે.

وَصَاحِبَاكَ لَا أَنْسَاهُمَا أَبَدًا ** مِنِّي السَّلَامُ عَلَيكُمْ مَا جَرَى الْقَلَمُ

અને હું તમારા બે મિત્રોને ક્યારેય ભૂલી શકતો નથી. જ્યાં સુધી કલમ દુનિયામાં લખતી રહેશે ત્યાં સુધી તમને મારા સલામ.

આ શેર પઢવા પછી આ’રાબી તેની સવારી પર બેસીને જવા લાગ્યો .

મોહમ્મદ ઉત્બી (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે કે તેના જવા પછી મારી આંખ લાગી ગઈ. તો મેં સપનામાં જોયુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ઝિયારત કરી. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) મને ફરમાવી રહ્યા છે કે હે ઉત્બી! જાવો તે આ’રાબી ને મારા તરફથી ખુશખબરી સંભળાવો કે અલ્લાહ તઆલાએ તેના ગુનાહોને માફ કરી દીઘા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5553

Check Also

સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشرًا وَحِينَ يُمسِي عَشرًا أَدْرَكَتْهُ شَفَاعَتِى يَومَ القِيَامَة (فضائل درود)...