હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ

عن ابن عباس أنه كان يقول: اللهم تقبل شفاعة محمد الكبرى وارفع درجته العليا وآته سؤله في الآخرة والأولى كما آتيت إبراهيم وموسى (مصنف عبد الرزاق، الرقم: 3104، وإسناده جيد قوي صحيح كما في القول البديع صـ 122)

હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) જ્યારે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલતા હતા, તો નિચે પ્રમાણેનાં અલફાઝ પઠતા હતા:

اللَّهُمَّ تَقَبَّلْ شَفَاعَةَ مُحَمَّدٍ الْكُبْرَى، وَارْفَعْ دَرَجَتَهُ الْعُلْيَا، وَآتِهِ سُؤْلَهُ فِي الْآخِرَةِ وَالْأُولَى، كَمَا آتَيْتَ إِبْرَاهِيمَ وَمُوسَى

હે અલ્લાહ ! હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની મોટી શફાઅત કબૂલ ફરમાવજો (આ શફાઅત થી મેદાને હશર ની શફાઅતે કુબરા મુરાદ છે) એમનો દરજો બુલંદ કરજો અને એમની દુન્યવી અને ઉખરવી દુઆ પૂરી ફરમાવજો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલ.) અને મૂસા (અલ.)ની દુઆ કબૂલ ફરમાવી.

 દુરૂદ શરીફનું નૂર

અબુલ કાસીમ મરવઝી(રહ.) કહે છે કે હું અને મારા વાલિદ(રહ.) રાતનાં હદીષની કિતાબનો મુકાબલો કરતા હતા.

સપનામાં બતાવવામાં આવ્યું કે જે જગહ અમે મુકાબલો કરતા હતા, તે જગહ એક નૂર નો સુતૂન(સ્તંભ, થાંભલો) છે જે એટલો ઊંચો છે કે આસમાન સુઘી પહોંચી ગયો.

કોઈકે પુછ્યું આ સુતૂન(સ્તંભ, થાંભલો) કેવુ છે તો આ બતાવવામાં આવ્યું કે તે દુરૂદ શરીફ છે જેને આ બન્નેવ કિતાબનાં મુકાબલાનાં સમયે પઢ્યા કરતા હતા. (ફઝાઈલે દુરૂદ, પેજ નં:૧૬૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5585

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...