ફજરથી પેહલા જનાબતનું ગુસલ ન કરવાની સૂરતમાં રોઝાનો હુકમ

સવાલ– અગર કોઈએ રમઝાનનાં મહીનામાં ફજરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ નહી કર્યુ, બલકે ઝોહરની નમાઝથી પેહલા જનાબતનું ગુસલ કર્યુ, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે?

જવાબ- હાં, તેનો રોઝો દૂરૂસ્ત હશે, પણ તે ગુનેહગાર થશે. કારણકે તેણેે ગુસલમાં મોડુ કરવાનાં કારણે ફરજની નમાઝ સમય પર અદા નહી કરી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وعن أبي قلابة ، عن بعض أزواج النبي صلى الله عليه وسلم ، أن رسول الله صلى الله عليه وسلم كان يصبح جنبا من غير احتلام ثم يصوم رواه مسدد ورجاله ثقات. (إتحاف الخيرة المهرة ۲۳۲۸)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/3235

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?