દીની ઈલ્મ હાસિલ કરવાનો મકસદ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“ઈલ્મનો સૌથી પેહલો અને મહત્તવપૂર્ણ તકાઝો આ છે કે માણસ પોતાની જિંદગીનો હિસાબ કરે, પોતાની જવાબદારીઓ અને પોતાની ઊણપોને સમજે અને દરેક ફરજની અદાયગીની ફિકર કરવા લાગે, પરંતુ જો માણસ તેનાં બદલે પોતાના ઈલ્મથી બીજાઓનાં આમાલનો હિસાબ કરવા લાગે અને તેમની ખામીઓ શોધવાનું કામ લે તો પછી આ મોટાઈ અને ઘમંડ છે, જે ઈલ્મ ધરાવનાર માટે અત્યંત વિનાશક છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૬)


 

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …