સુરતુલ આદિયાતની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

وَ الۡعٰدِیٰتِ ضَبۡحًا ۙ﴿۱﴾‏‎ ‎فَالۡمُوۡرِیٰتِ قَدۡحًا ۙ﴿۲﴾‏فَالۡمُغِیۡرٰتِ صُبۡحًا ۙ﴿۳﴾‏‎ ‎فَاَثَرۡنَ بِہٖ نَقۡعًا ۙ﴿۴﴾‏‎ ‎فَوَسَطۡنَ بِہٖ جَمۡعًا ۙ﴿۵﴾‏‎ ‎اِنَّ  الۡاِنۡسَانَ لِرَبِّہٖ  لَکَنُوۡدٌ ۚ﴿۶﴾‏‎ وَ  اِنَّہٗ  عَلٰی ذٰلِکَ لَشَہِیۡدٌ ۚ﴿۷﴾‏‎ ‎ وَ  اِنَّہٗ  لِحُبِّ الۡخَیۡرِ  لَشَدِیۡدٌ ؕ﴿۸﴾‏‎ ‎اَفَلَا یَعۡلَمُ  اِذَا بُعۡثِرَ مَا فِی الۡقُبُوۡرِ ۙ﴿۹﴾‏‎ ‎وَ  حُصِّلَ مَا فِی الصُّدُوۡرِ ﴿ۙ۱۰﴾‏‎ ‎اِنَّ  رَبَّہُمۡ  بِہِمۡ یَوۡمَئِذٍ لَّخَبِیۡرٌ ﴿۱۱﴾‏‎ ‎

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે (૪) પછી તે વખતે (શત્રુઓની) ફોજમાં ઘૂસી જાય છે (૫) બેશક, માણસ પોતાના પરવરદિગારનો અતિ નાશુક્રો છે (૬) અને તેને પોતાને પણ એ બાબતની ખબર છે (૭) અને તે ઘનની માયામાં બહુ જ પાકો છે (૮) શું તેને તે વખતની ખબર નથી કે જ્યારે કબરોમાંથી મુર્દાઓને કાઢવામાં આવશે? (૯) અને જે કંઈ દિલોમાં છે તેને જાહેર કરવામાં આવશે (૧૦) બેશક, તે દિવસે પણ તેમના પરવરદિગારને તેમ (ના હાલ) ની સંપૂર્ણ ખબર હશે (૧૧)

તફસીર

وَ الۡعٰدِیٰتِ ضَبۡحًا ۙ﴿۱﴾‏‎ ‎فَالۡمُوۡرِیٰتِ قَدۡحًا ۙ﴿۲﴾‏فَالۡمُغِیۡرٰتِ صُبۡحًا ۙ﴿۳﴾‏‎ ‎فَاَثَرۡنَ بِہٖ نَقۡعًا ۙ﴿۴﴾‏‎ ‎فَوَسَطۡنَ بِہٖ جَمۡعًا ۙ﴿۵﴾

તે ઘોડાઓના સોગંદ જે હાંફતા હાંફતા દોડે છે (૧) ફરી (પથ્થર પર) ટાપ મારી અગ્નિ ઝારે છે (૨) હરી પ્રભાતનાં વખતે છાપો મારે છે (૩) ફરી તે વખતે ધૂળ ઉડાવે છે

(૪) પછી તે વખતે (શત્રુઓની) ફોજમાં ઘૂસી જાય છે (૫)

આ સૂરતમાં ઈન્સાનને આ વાતની દાવત આપવામાં આવી છે કે તેઓ ઘોડાની તબીઅત, વાતને માનવા અને વફાદારીથી સબક લે. ઘોડો એક એવુ જાનવર છે જે પોતનાં માલિકની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે છે. દરેક સમયે પોતાનાં માલિકનાં માટે દરેક પ્રકારની કુરબાની આપવા માટે તૈયાર રહે છે. અહિંયા સુઘી કે તે પોતાની જાનની પણ પરવા નથી કરતો. રાત-દિવસ જે સમયે પણ માલિક તેને અવાજ આપે છે, તે તેનાં હુકમ પર મોડુ કરવા વગર લબ્બૈક કહે (હાજર થઈ જાય) છે. અહિંયા સુઘી કે યુદ્ધનાં મૈદાનમાં પૈણ પતાની જાન જોખમમાં નાખીને દુશ્મનોની સફોમાં ઘુસી જાય છે અને તેનાં પર હમલો કરે છે. દુશ્મનોનાં હથિયાર તેનાં માલિકનાં હુકમને પુરુ કરવાથી રોકી નથી શકતા.

આ છે માલિકનાં માટે ઘોડાની ઈતાઅત શિઆરી અને ફરમાં બરદારી જ્યારે કે અગર જોવામાં આવે તો તેનાં મુકાબલામાં માલિકનો એહસાન ઘોડા પર ઘણો ઓછો છે. માલિક માત્ર પોતાનાં ઘોડાને ચારો ખવડાવે છે, પાણી પીવડાવે છે અને તેનો થોડો ખ્યાલ રાખે છે. જ્યારે કે ઘોડો આટલા થોડા એહસાનનાં બદલામાં તેનાં માટે પોતાનું બઘુ કુરબાન કરવા માટે તૈયાર રહે છે.

આ આયતે કરીમામાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઘોડાની કસમ ખાઈને ઈન્સાનને આ વાતની તરફ ધ્યાન દોરવ્યુ છે કે વિચાર કરો કે તમે પોતાના રબનાં કેટલા ફરમાં બરદાર અને શુકર ગુઝાર છો. શું તમે પોતાનાં રબનો એટલો પણ શુક્રિયા અદા કરો છો જેટલુ બુદ્ઘી વગરનુ અને ના સમજ જાનવર (ઘોડો) પોતાનાં માલિકનો શુક્રિયા અદા કરે છે? જ્યારે એક જાનવર જેનાં અંદર કોઈ બુદ્ઘી અને સમજ નથી હોતી, પોતાનાં માલિકનો આટલો બઘો મુતીઅ તથા ફરમાંબરદાર અને શુક્ર ગુઝાર છે, તો આપણે આપણા રબનાં કેટલા વધારે મુતીઅ તથા ફરમાંબરદાર અને શુક્ર ગુઝાર હોવુ જોઈએ. જ્યારે કે અલ્લાહ તઆલાએ આપણને બુદ્ઘી તથા સમજ, ઈલ્મ તથા સમજદારી  અને બીજી કેટલી બઘી નેઅમતોથી નવાજ્યા છે.

اِنَّ  الۡاِنۡسَانَ لِرَبِّہٖ  لَکَنُوۡدٌ ۚ﴿۶﴾

બેશક, માણસ પોતાના પરવરદિગારનો અતિ નાશુક્રો છે (૬)

આ આયતે કરીમાથી પેહલા પાંચ આયતોમાં અલ્લાહ તઆલાએ ઘોડાઓનો તઝકિરો કર્યો છે અને તેની બહાદુરી, જફા કશી અને ઈતાઅત તથા ફરમાંબરદારી ને બયાન કરી છે. તેમાં આ નુકતો છે કે અલ્લાહ તઆલાએ ઘોડા જેવો બહાદુર અને તાકતવરને ઈન્સાનનાં માટે મુસખ્ખર (વાત માનવા વાળો) કરી દીઘો છે. તેનો તકાઝો એ હતો કે ઈન્સાન પોતાનાં રબની ઈતાઅત તથા ફરમાંબરદારી કરતે,  જેવી રીતે ઘોડો તેની (ઈન્સાનની ) ઈતાઅત તથા ફરમાંબરદારી કરે છે અને તેનો દરેક હુકમ માને છે. પણ ઈન્સાન હંમેશા પોતાનાં રબની નાશુકરી કરે છે. તેને જ અલ્લાહ તઆલાએ اِنَّ  الۡاِنۡسَانَ لِرَبِّہٖ  لَکَنُوۡدٌ નાં અંદર બયાન કર્યુ છે કે ઈન્સાન પોતાના રબનો ઘણો નાશુકરો છે.

અલ્લાહ તઆલા એ ઈન્સાનનાં માટે શબ્દ “કનૂદ”નો ઈસ્તેમાલ કર્યો છે. આ શબ્દ તે વ્યક્તિ માટે ઈસ્તેમાલ થાય છે જે માત્ર પોતાની પરેશાનિયો અને મુસીબતોને યાદ કરે છે અને તે નેઅમતો અને રાહતોને ભૂલી જાય છે, જેનાંથી તે રાત દિવસ મઝા માણતો હોય છે. આ ઈન્સાનની ફિતરત છે કે તે નેઅમતોથી ફાયદો ઉઠાવે છે, પણ પોતાનાં માલિકે હકીકીને ભૂલી જાય છે. તે દીની નેઅમતોમાં એટલો મસ્ત અને મગન થઈ જાય છે કે તે આ ભૂલી જાય છે કે આ બઘી નેઅમતો માત્ર અલ્લાહ તઆલાની તરફથી છે (જે નિહાયત રહમ દિલ અને ઘણો મોટો દાતા છે) અને તેને હાસિલ કરવામાં તેની ઝહાનત અને અકલનો કોઈ દખલ નથી.

وَ اِنَّہٗ عَلٰی ذٰلِکَ لَشَہِیۡدٌ ۚ﴿۷﴾‏‎ ‎وَ اِنَّہٗ  لِحُبِّ الۡخَیۡرِ لَشَدِیۡدٌ ؕ﴿۸﴾‏‎

અને તેને પોતાને પણ એ બાબતની ખબર છે (૭) અને તે ઘનની માયામાં બહુ જ પાકો છે (૮)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાએ માલની અનહદ મોહબ્બતની નિંદા કરી છે. માલની મોહબ્બત હરામ છે, પણ મોલની અનહદ અને ઘણી બઘી મોહબ્બત નાજાઈઝ છે, કારણકે તે અલ્લાહ તઆલા અને બંદાઓનાં અધિકારોથી ગાફિલ (બેદરકાર) થઈ જાય છે અને ક્યારેક એવુ પણ થાય છે કે માલની અનહદ મોહબ્બતનાં કારણે તે હલાલ તથા હરામનાં દરમિયા તફાવત તથા ફરક નથી કરતો અને તે આમાલ (કામો) થી બચવાની ફિકર નથી કરતો, જેનાંથી અલ્લાહ તઆલા નારાજ થાય છે.

આમાં કોઈ શક નથી કે બઘી પરેશાનિયોં અને મુસીબતોંની જડ માલની હદથી વધારે મોહબ્બત છે. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેની નિંદા (મઝમ્મત) કરી છે, પછી તેમાંથી નિકળવાનો હલ અને ઈલાજ બયાન કર્યો છે. ઈલાજ આ છે કે ઈન્સાન હંમેશા આ વાતને ધ્યાનમાં રાખે કે તેણે ખતમ થવા વાળી દુન્યાથી એક ને એક દિવસે જવાનુ છે અને કયામતનાં દિવસે અલ્લાહ તઆલાની સામે બઘા નાનાં-મોટા આમાલ (કામો)નો હિસાબ આપવાનો છે.

اَفَلَا یَعۡلَمُ  اِذَا بُعۡثِرَ مَا فِی الۡقُبُوۡرِ ۙ﴿۹﴾‏‎ ‎وَ  حُصِّلَ مَا فِی الصُّدُوۡرِ ﴿ۙ۱۰﴾‏‎ ‎اِنَّ  رَبَّہُمۡ  بِہِمۡ یَوۡمَئِذٍ لَّخَبِیۡرٌ ﴿۱۱﴾‏‎

શું તેને તે વખતની ખબર નથી કે જ્યારે કબરોમાંથી મુર્દાઓને કાઢવામાં આવશે? (૯) અને જે કંઈ દિલોમાં છે તેને જાહેર કરવામાં આવશે (૧૦) બેશક, તે દિવસે પણ તેમના પરવરદિગારને તેમ (ના હાલ) ની સંપૂર્ણ ખબર હશે (૧૧)

આ આયતોમાં અલ્લાહ તઆલાએ આપણુ ઘ્યાન કયામતનાં દિવસની તરફ ખેંચ્યુ છે. જે દિવસે બઘી સંતાયેલી વસ્તુઓ જાહેર કરી દેવામાં આવશે, કબરોનાં મુરદાઓ જીવિત કરી દેવામાં આવશે અને દિલોની પોશીદા (રાઝની) વાતો જાહેર કરી દેવામાં આવશે. ઈન્સાનની ઈરાદાઓ અને નિય્યતોં કયામતનાં દિવસે બઘા લોકોની સામે બેનકાબ કરી દેવામાં આવશે. તેથી અગર કોઈએ કોઈ અમલ દુન્યાનાં અંદર રિયાકારી (દેખડાવવા) માટે કર્યો હશે, તે કયામતનાં દિવસે દરેકની સામે જાહેર થઈ જશે.

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …