દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: الصلاة علي نور على الصراط ومن صلى علي يوم الجمعة ثمانين مرة غفرت له ذنوب ثمانين عاماً أخرجه ابن شاهين في الأفراد وغيرها وابن بشكوال من طريقه وأبو الشيخ والضياء من طريق الدارقطني في الأفراد أيضاً والديلمي في مسند الفردوس وأبو نعيم وسنده ضعيف وهو عند الأزدي في الضعفاء من حديث أبي هريرة أيضاً لكنه من وجه آخر ضعيف أيضاً وأخرجه أبو سعيد في شرف المصطفى من حديث أنس والله أعلم (القول البديع صـ ۳۹۸)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલવુ પુલ સિરાત પર રોશની (નું કારણ) છે અને જે વ્યક્તિ જુમ્આનાં દિવસે એંસી વખત મારા પર દુરૂદ મોકલશે, તેનાં એંસી વર્ષનાં ગુનાહ બખ્શી દેવામાં આવશે.

“સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખવાનો ષવાબ

હઝરત હસન બિન મોહમ્મદ (રહ.) ફરમાવે છે કે એક વખત મેં હઝરત ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) ને સપનામાં જોયા તો તેવણે મને કહ્યુ કે કાશ કે તમપ પોતાની આંખોથી તે મહાન અજર અને ષવાબને જોઈ લેતે જે તે લોકો માટે લખવામાં આવે છે જે પોતાની કિતાબોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક નામની સાથે દુરૂદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લખે છે. (અલ કવલુલ બદીઅ)

નોટઃ જ્યારે પણ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું મુબારક નામ લખો, તો તેની સાથે મુકમ્મલ “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખો. માત્ર “સોદ” અથવા “સોદ લામ ઐન મીમ” ન લખો. કારણકે આ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં અદબો એહતેરામનાં ખિલાફ છે.

હઝરત અબુ ઈમરાન વાસિતી (રહ.) નો વાકિયો

અબુ ઈમરાન વાસિતી (રહ.) ફરમાવે છે કે

હું મક્કા મુકર્રમાથી હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબરે અતહરની ઝિયારતનાં ઈરાદાથી ચાલ્યો. જ્યારે હું હરમથી બાહર નિકળ્યો મને મને એટલી સખત તરસ લાગી કે હું પોતાનાં જીવનથી માયૂસ થઈ ગયો. હું પોતાની જાનથી નાઉમ્મીદ થઈને એક બાવળનાં ઝાડનાં નીચે બેસી ગયો.

અચાનક એક ઘોડ સવાર લીલા ઘોડા પર સવાર થઈને મારી પાસે પહોંચ્યો. તે ઘોડાની લગામ પણ લીલી હતી, ઝીન પણ લીલી હતી અને ઘોડ સવારનો પોશાક પણ લીલો હતો. તેનાં હાથમાં લીલા રંગનો ગ્લાસ હતો જેમાં લીલાજ રંગનો શરબત હતો. તે તેવણે મને પીવા માટે આપ્યો મેં ત્રણ વખત પીઘો, પણ તે ગ્લાસ માંથી કંઈ પણ ઓછુ ન થયુ પછી તેવણે મને કહ્યુ કે “તુ ક્યાં જઈ રહ્યો છે.” મેં કહ્યુ કે “મદીના તય્યીબા હાજરીનો ઈરાદો છે, જેથી કરીને કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં સલામ કરૂં અને હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં બન્નેવ સાથિયોંને સલામ કરૂં.”

તેવણે કહ્યુ કે “જ્યારે તુ મદીના પહોંચી જાય અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની અને હઝરાતે શૈખૈન (રદિ.) ની ખિદમતમાં સલામ કરી ચૂકે તો આ અરજ કરી દેજો કે રિઝવાન તમો ત્રણેવ હઝરાતની ખિદમતમાં સલામ અરજ કરતા હતા.” રિઝવાન તે ફરિશ્તાનું નામ છે જે જન્નતનાં દરબાન (નાઝિમ) છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં- ૧૩૦)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...