જુમ્આ(શુક્રવાર)ના દિવસે દુરૂદ શરીફની વિપુલતા

عن أوس بن أوس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي (سنن أبي داود، الرقم: ١٠٤٧)

હઝરત ઓસ બીન ઓસ (રદી.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, નિઃ સંદેહ બઘાથી વધારે બરકતવાળો અને ફઝીલત વાળો દિવસ, જુમ્આનો દિવસ છે. તેથી તે દિવસે મારા ઊપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો એટલા માટે કે તમારા દુરૂદ મારી સામે હાજર કરવામાં આવે છે.

વધારે પ્રમાણમાં દુરૂદ પઠવાનાં કારણે ઈન્આમો(સોગાતો)

અબુલ અબ્બાસ અહમદ બિન મન્સૂર નો જ્યારે ઈન્તેકાલ થઈ ગયો તો શીરાઝ નાં લોકોમાંથી એક માણસે એમને ખ્વાબમાં(સ્વપ્નમાં) જોયા કે તેઓ શીરાઝ ની જામેઅ મસ્જીદમાં મેહરાબમાં ઊભા હતા અને એમના પર એક પોશાક છે અને માથાનાં ઊપર એક તાજ છે જે હીરા મોતીઓથી જડેલો છે.

ખ્વાબ(સ્વપ્ન) જોવા વાળાએ એમનાથી પુછ્યુ, એમણે કહ્યુઃ અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી અને મારો ખૂબ જ ઈકરામ ફરમાવ્યો (ઈઝઝત કરી) અને મને તાજ આપવામાં આવ્યો અને આ બઘુ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વધારે પ્રમાણમાં દુરૂદ શરીફનાં કારણે.(ફઝાઈલે દુરૂદ, પેજ નઃ૧૫૬)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم  دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِم

Source: http://whatisislam.co.za/index.php/durood/item/384 & http://ihyaauddeen.co.za/?p=4504

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...