દુરૂદ શરીફનો અનેક ગણો સવાબ

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: من صلى علي عشرا صلى الله عليه مئة ومن صلى علي مئة صلى الله عليه ألفا ومن زاد صبابة وشوقا كنت له شفيعا وشهيدا يوم القيامة (أخرجه أبو موسى المديني بسند قال الشيخ مغلطاي لا بأس به كما في القول البديع ص٢٣٦)

હઝરત અબુ હુરયરહ (રદી.) નબી (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) થી નકલ કરે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે) ફરમાવ્યુ, “જે મારા ઊપર દસ (૧૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા એના ઊપર સો (૧૦૦) વાર દુરૂદ (રહમત) મોકલે છે, જે મારા ઊપર સો (૧૦૦) વાર દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા એના ઊપર હઝાર (૧૦૦૦) વાર દુરૂદ (રહમત) મોકલે છે અને જે મારી મોહબ્બત અને શોકમાં વધારે દુરૂદ મોકલશે, હું કયામત ના દિવસે તેની સીફારીશ (ભલામણ) કરીશ અને એના માટે ગવાહ (સાક્ષી) બનીશ.”

જરૂરત નાં સમયે દુરૂદ શરીફનું મદદ માટે આગળ આવવુઃ

શૈખુલ મશાઈખ હઝરત શીબ્લી (નવ્વરલ્લાહુ મરકદહુ) થી નકલ કરવામાં આવ્યુ છે કે મારા પડોશમાં એક માણસ નો ઈન્તેકાલ થઈ ગયો. મેં એમને ખ્વાબ માં જોયા, મેં એમને પુછ્યુ, શું ગુજર્યુ ? એમણે કહ્યુ, “શીબ્લી બહુજ ઘણી બઘી પરેશાનીયોં આવી અને મને મુન્કર નકીર નાં સવાલનાં સમયે ગડબડ થવા લાગી. મેં પોતાના દિલમાં વિચાર્યુ કે યા અલ્લાહ આ મુસીબત ક્યાંથી આવી રહી છે, શું હું ઈસ્લામ પર નથી મર્યો?

મને એક અવાજ આવ્યો કે આ દુન્યામાં તારી ઝબાનની બેદરકારીની સજા છે. જ્યારે તે બન્નેવ ફરીશ્તાઓએ મને અઝાબ આપવાનો ઈરાદો કર્યો તો તરતજ એક ખૂબજ હસીન માણસ મારી અને એમની વચ્ચે આવીને ઊભા થઈ ગયા. એમના અંદરથી ખૂબજ સરસ ખુશ્બુ આવી રહી હતી. એમણે મને ફરિશ્તાઓના જવાબો બતાવી આપ્યા. મેં તરતજ જવાબ આપી દીઘા.

મેં એમને પુછ્યું કે અલ્લાહ તઆલા તમારા ઊપર રહમ કરે તમે કોણ છો? તેમણે કહ્યુ હું એક માણસ છું, જે તારા વધારે દુરૂદ પઢવાના કારણે પેદા કરવામાં આવ્યો છું, મને એ હુકમ આપવામાં આવ્યો છે કે દરેક મુસીબત ના અંદર તારી મદદ કરૂં.” (ફઝાઈલે દુરૂદ પેજ નં:૧૬૦)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/423&http://ihyaauddeen.co.za/?p=4709

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...