એતેકાફની હાલતમાં હાથ ધોવા માટે મસ્જીદથી નિકળવુ

સવાલ– અગર કોઈ વ્યક્તિ સુન્નત એતેકાફમાં બેસ્યો હોય અને ખાવાનું ખાતા સમયે હાથ ઘોવા માટે મસ્જીદથી નિકળે, તો શું તેનો એતેકાફ ફાસિદ થઈ જશે?

જવાબ- હાથ ધોવા માટે મસ્જીદથી નહી નિકળવુ જોઈએ. અગર મુઅતકિફ હાથ ધોવા માટે મસ્જીદથી નિકળે, તો તેનો સુન્નત એતેકાફ ફાસિદ થઈ જશે. મસ્જીદની દેખરેખ રાખવા વાળાને જોઈએ કે સુન્નત એતેકાફમાં બેસવા વાળા માટે મસ્જીદનાં દરમાંજ હાથ ધોવાનો ઈન્તેઝામ કરે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( وحرم عليه ) أي على المعتكف اعتكافا واجبا أما النفل فله الخروج لأنه منه له لا مبطل كما مر ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد كذا في النهر (الدر المختار مع رد المحتار ۲/٤٤٤-٤٤۵, الفتاوى الهندية ۱/۲۱۲)

( فلو خرج ) ولو ناسيا ( ساعة ) زمانية لا رملية كما مر ( بلا عذر فسد ) (الدر المختار مع رد المحتار ۲/٤٤۷,الفتاوى الهندية ۱/۲۱۲)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/583

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?