દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: من قال: اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وآل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وآل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وآل إبراهيم شهدت له يوم القيامة بالشهادة وشفعت له (الأدب المفرد، الرقم: 641، وهو حديث حسن ورجاله رجال الصحيح لكن فيهم سعيد بن عبد الرحمن مولى ال سعيد بن العاص الراوي له عن حنظلة، وهو مجهول لا نعرف فيه جرحا ولا تعديلا، نعم ذكره ابن حبان على قاعدته كما في القول البديع صـ 112)

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જે કોઈએ (નીચે આપેલ) દુરૂદ પઢ્યુ, હું તેનાં માટે કયામતનાં દિવસે ગવાહી આપીશ અને તેની સિફારિશ કરીશઃ

اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وآل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وآل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وآل إبراهيم

હે અલ્લાહ! હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઔલાદ પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.) ની ઔલાદ પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવ્યુ. અને હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઔલાદ પર બરકત નાઝિલ ફરમાવો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને ઈબ્રાહીમ (અલૈ.) ની ઔલાદ પર બરકત નાઝિલ ફરમાવી. હે અલ્લાહ! હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઔલાદ પર રહમત મોકલો, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.) ની ઔલાદ પર રહમત મોકલી.

સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની બેપનાહ મુહબ્બત

એક વખત એક સહાબી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમતમાં હાજર થયા અને ફરમાવ્યુ, હે અલ્લાહનાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ! મારા દિલમાં તમારી એટલી બઘી મુહબ્બત છે કે જ્યારે પણ મને તમારો ખ્યાલ આવે છે, તો મારા ઉપર તમારી મુહબ્બત એવી રીતે ગાલિબ આવી જાય છે કે જ્યાં સુઘી તમારી ઝિયારત ન કરી લઉં, મને ચેન નથી આવતો.

(તેવણે વધારેમાં અરજ કર્યુ) હે અલ્લાહનાં રસૂલ સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લમ! મને એ ખ્યાલ બેચેન કરી રહ્યો છે કે જો અલ્લાહ તઆલા મને જન્નત આપી, તો મારા માટે તમારી જિયારત કરવુ ઘણું અઘરું થશે, કારણકે તમો તો જન્નતનાં ઘણાં ઉચ્ચ સ્થાનમાં હશો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને તસલ્લી આપી અને નીચે પ્રમાણેની આયતની તિલાવત કરીઃ

وَمَن يُطِعِ اللَّـهَ وَالرَّسولَ فَأُولـٰئِكَ مَعَ الَّذينَ أَنعَمَ اللَّـهُ عَلَيهِم مِنَ النَّبِيّينَ وَالصِّدّيقينَ وَالشُّهَداءِ وَالصّالِحينَ وَحَسُنَ أُولـٰئِكَ رَفيقًا ﴿٦٩﴾

અને જેણે અલ્લાહ અને રસૂલ નું કહ્યું માની લીધુ તો તેઓ પણ તે લોકોની સાથે હશે, જેમના પર અલ્લાહ ત’આલા એ પોતાનું ઈનામ ફરમાવેલી છે, એટલે કે અંબિયા અને સિદ્દીકીન અને શુહદા અને સુલહા અને આ લોકો ઘણા સારા રફીક (સાથી) છે.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/333-the-intercession-of-nabi-sallallahu-alaihi-wasallam , http://ihyaauddeen.co.za/?p=7440

 

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...