રોઝાની હાલતમાં પાણીનાં થોડા ટીપાં ગળી લેવુ

સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?

જવાબ- ફુકહાએ કિરામે પાણીનાં આ સામાન્ય મિકદારનો એતેબાર નથી કર્યો, તેથી તમારો રોઝો નહી ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/29792

Check Also

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: …