સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું

عن أبي الدرداء رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي حين يصبح عشرا وحين يمسي عشرا أدركته شفاعتي يوم القيامة (رواه الطبراني بإسنادين وإسناد أحدهما جيد ورجاله وثقوا كذا في مجمع الزوائد، الرقم: ١٧٠٢٢)

હઝરત અબૂ-દર્દા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે જે માણસ મારા પર સવાર-સાંજ દસ-દસ વખત દુરૂદ મોકલે છે, તે કયામતના દિવસે મારી શફાઅતનો હકદાર થશે.

પુલ સિરાત પર મદદ

હઝરત અબ્દુર્રહમાન બિન સમુરા(રદિ.) ફરમાવે છે કે એક વખત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઘરથી બાહર તશરીફ લાવ્યા અને ફરમાવ્યુ કે રાત્રે મેં એક અજીબ દ્દશ્ય જોયુ કે એક માણસ ઘણાં પરિશ્રમથી પુલ સિરાતનાં ઉપરથી પસાર થઈ રહ્યો છે ક્યારેક તો તે ઘસડીનેં ચાલી રહ્યો છે, ક્યારેક ઘુંટણનાં ઉપર ચાલી રહ્યો છે અને ક્યારેક કોઈક વસ્તુમાં અટકી જાય છે. એટલી વારમાં તે દુરૂદ(જે તે મારાં ઉપર પઢ્યા કરતો હતો) તેમની પાસે પહોચ્યું અને એમને ઉભા કરી દિઘા. ત્યાં સુઘી કે તે પુલ સિરાત પરથી પસાર થઈ ગયા.(ફઝાઈલે દુરૂદ)

વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવાની બરકત

હઝરત સા’દ ઝનજાનીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખત આ વાકિઓ બયાન કર્યો કે, મિસરમાં અબૂ-સઈદ ખય્યાત નામનો એક ઝાહિદ (પરહેઝગાર) માણસ હતો. તેવણ લોકોની સાથે મેલ-મિલાપ રાખતા ન હતા. અને લોકોની મજલિસોમાં હાજરી આપતા ન હતા. (એકાંતમાં રેહવાનુ પસંદ કરતા હતા.)

થોડા દિવસો પછી લોકોએ જોયું કે તેઓ પાબંદીથી ઈબ્ને-રશીક (અલ્લાહ એમના પર રહમ કરે) ની મજલિસમાં હાજરી આપી રહ્યા છે, તો લોકોએ તેવણને આશ્ચર્યથી પુછ્યું કે શું માજરો છે?

તેવણે જવાબ આપ્યો કે, “મેં સ્વપ્નમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ઝિયારત કરી, તો આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) મને ફરમાવ્યું, ઈબ્ને-રશીકની મજલિસમાં શરીક થાઓ, કારણકે તેઓ મારા ઊપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલે છે. (કવલુલ બદીઅ, પેજ નંબર: ૧૩૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4709, http://ihyaauddeen.co.za/?p=4742

Check Also

અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ

عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون...