દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلي علي عند قبري سمعته ومن صلى علي نائياً  كفى أمر دنياه وآخرته وكنت له شهيداً وشفيعاً يوم القيامة رواه البيهقي في الشعب والخطيب وابن عساكر كذا في الدر وبسط طرقه السبكي في شفاء الأسقام وفي المواهب وشرحه عزاه إلى ابن أبي شيبة وعبد الرزاق (فضائلِ حج صـ ۱۰۰)‏‏‏

હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ છે કે “જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતના દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”.

દુરૂદ-શરીફ વધારે પ્રમાણમાં લખવુ ઘણાં ઊંચા મકામને હાસિલ કરવાનુ માઘ્યમ

જાફર બિન અબ્દુલ્લાહ રહ઼િમહુલ્લાહ કહે છે કે મેં (પ્રખ્યાત મુહદ્દિસ) હઝરત અબુ ઝુર્આ રહ઼િમહુલ્લાહ ને સપનામાં જોયા કે તેઓ આસમાન પર છે અને ફરિશ્તાઓની ઈમામત નમાઝમાં કરી રહ્યા છે.

મેં પૂછ્યુ કે આ ઉચોં મર્તબો શાના લીધે મળ્યો?

તેમણે કહ્યું કે મેં પોતાનાં આ હાથથી દસ લાખ હદીસો લખી છે અને જ્યારે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નું મુબારક નામ લખતો, તો હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના નામે-નામી પર સલાતો-સલામ લખતો અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ છે કે જે માણસ મારા પર એક વખત દુરૂદ મોકલે અલ્લાહ તઆલા તેના પર દસ વખત દુરૂદ (રહમત) મોકલે છે.

આ હિસાબથી અલ્લાહ તઆલાની તરફથી એક કરોડ દુરૂદ થઈ ગયા. અલ્લાહ તઆલાની તો એકજ રહમત બધે બધુંજ છે પછી એક કરોડ રહમત નું તો શું કહેવું? (અલકવલુલ બદી- પેજ નં-૪૮૯)

અલ્લાહ તઆલાની મખલુકના સરતાજ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‎અલૈહી વ-સલ્લમ

મિશ્કાતમાં, હઝરત ઇબ્ને અબ્બાસ રદ઼િય અલ્લાહુ અન્હુમાની રિવાયતમાંથી આ કિસ્સો નકલ કરવામાં આવ્યો છે કે સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુમની એક જમાઅત અંબિયા-એ-કિરામ અલયહિમુસ્સલામની યાદ તાજી કરી રહી હતી કે અલ્લાહે હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલામને ખલીલ (દોસ્ત) બનાવ્યા અને હઝરત મુસા અલૈહિસ્સલામ થી કલામ કર્યુ (વાત કરી) અને હઝરત ઈસા અલયહિસ્સલામ અલ્લાહ ના કલીમા અને રૂહ છે અને હઝરત આદમ અલૈહિસ્સલામ ને અલ્લાહે તેમના સફી બનાવ્યા હતા. એટલા માં, હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ તશરીફ લાવ્યા; હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: “મેં તમારી વાતચીત સાંભળી, ચોક્કસ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ખલીલુલ્લાહ (અલ્લાહના દોસ્ત) છે અને મુસા અલૈહિસ્સલામ નજીયુલ્લાહ છે (કલીમુલ્લાહ) અને તે જ રીતે ઇસા અલૈહિસ્સલામ અલ્લાહના કલીમા અને રૂહ છે અને આદમ અલૈહિસ્સલામ અલ્લાહના સફી છે. પરંતુ વાત આવી છે, ધ્યાનથી સાંભળો કે હું અલ્લાહનો હબીબ છું અને કોઈ ફખર નથી અને કયામતના દિવસે હમદનો ઝંડો મારા હાથમાં હશે અને તે ઝંડા નીચે આદમ અને તમામ અંબિયા અલયહિમુસ્સલામ હશે અને કોઈ ફખર નથી અને કયામતના દિવસે હું સૌથી પહેલા સિફારિશ (ભલામણ) કરીશ અને મારી ભલામણ સૌથી પહેલા સ્વીકારવામાં આવશે અને કોઈ જાત નો ફખર નથી. અને હું જ જન્નતનો દરવાજો ખોલનાર પ્રથમ હોઈશ અને હું અને મારી ઉમ્મત ના ફકીર લોકો જન્નતમાં સૌથી પહેલા દાખલ થશે અને ફખર કરવા જેવી કોઈ વસ્તુ નથી અને હું અલ્લાહની નજદીક સૌથી વધારે સમ્માનીય છું આગલા અને પાછલા લોકોમાં, અને કોઈ ફખર નથી.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان...