દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતોનું પુરૂ થવુ

وعن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلي علي عند قبري سمعته ومن صلى علي نائياً  كفى أمر دنياه وآخرته وكنت له شهيداً وشفيعاً يوم القيامة رواه البيهقي في الشعب والخطيب وابن عساكر كذا في الدر وبسط طرقه السبكي في شفاء الأسقام وفي المواهب وشرحه عزاه إلى ابن أبي شيبة وعبد الرزاق (فضائلِ حج صـ ۱۹۲)‏‏‏

હઝરત અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”.

દુરૂદ શરીફ વધારે પ્રમાણમાં લખવુ ઘણાં ઊંચા મકામને હાસિલ કરવાનો ઝરીઓ

જઅફર બિન અબ્દુલ્લાહ (રહ.) ફરમાવે છે કે

મેં (પ્રખ્યાત મુહદ્દિષ) હઝરત અબુ ઝુરઆને સપનામાં જોયા કે તેઓ આસમાન પર છે અને ફરિશ્તાઓની ઈમામત નમાઝમાં કરી રહ્યા છે.

મેં પૂછ્યુ કે આ ઉચોં મર્તબો કઈ વસ્તુથી મળ્યો. તેવણે કહ્યુ કે મેં પોતાનાં આ હાથથી દસ લાખ હદીષો લખી છે અને જ્યારે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું મુબારક નામ લખતો, તો હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નામ નામી પર સલાતો સલામ લખતો અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે જે માણસ મારા પર એક વખત દુરૂદ મોકલે અલ્લાહ તઆલા તેનાં પર દસ વખત દુરૂદ (રહમત) મોકલે છે.

આ હિસાબથી અલ્લાહ તઆલાની તરફથી એક કરોડ દુરૂદ થઈ ગયા. અલ્લાહ તઆલાની તો એકજ રહતમ બઘુ છે ત્યારપછી તે કેટલો ખુશ નસીબ છે જેનાં પર એક કરોડ રહમતો નાઝિલ થશે. (અલકવલુલ બદી- પેજ નં-૪૮૯)

હઝરત અબૂ બકર સિદ્દીક (રદિ.) નું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને દુધ આપવુ

હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથેનો હિજરતનાં સફરનો વાકિઓ (ઘટના) બયાન ફરમાવે છે કે

અમે આખી રાત ચાલતા રહ્યા અને બીજા દિવસે સવારે સવારના પણ, અહિંયા સુઘી કે બરાબર બપોરનો સમય થઈ ગયો અને રસ્તાઓ ખાલી થઈ ગયા, કોઈ તેમાં ચાલવા વાળુ દેખાતુ ન હતુ.

મેં આજુ બાજુ જોયુ કે કોઈ છાંયાવાળી જગ્યા મળી જાય, જેથી અમે ત્યાં આરામ કરી શકીએ. તો હમોને એક ગ઼ાર (ગુફા) દેખાઈ પડી, જ્યાં અમે સુર્ય પ્રકાશની ગરમીથી બચવા માટે આશરો (પનાહ) લઈ શકતા હતા.

મેં કહ્યુઃ હે અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)! તમો બાહર પ્રતિક્ષા કરો, હું ગાર (ગુફા) ની અંદર જાવું છું, એટલા માટે કે અગર તકલીફ આપનાર જીવો અંદર હોય, તો તે મને તકલીફ પહોંચાડે, તમને તકલીફ ન પહોંચાડે.

પછી હું ગાર (ગુફા)માં દાખલ થયો અને ગાર (ગુફા) ને સાફ કરીને જમીન પર એક કપડુ બિછાવ્યુ, જેથી આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેનાં પર સૂઈ શકે. પછી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ગાર (ગુફા) માં દાખલ થયા અને સુઈ ગયા.

અને હું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બાહર નિકળ્યો, તો મને એક ભરવાડ નજર આવ્યો, જેની પાસે કેટલીક બકરીઓ હતી. મેં તેમને પુછ્યુ કે તારો માલિક કોણ છે? તેણે મને મક્કા મુકર્રમાનાં એક વ્યક્તિનું નામ બતાવ્યુ, જેનાંથી હું પરિચિત હતો (ત્યારે તે વખતમાં દસ્તૂર (નિયમ) હતો કે જાનવરોનાં માલિકો મુસાફિરો અને રાહગીરો (પસાર થતા લોકો) નાં માટે પોતાનાં જાનવરોનું દુઘ પીવાની ઈજાઝત આપતા હતા, એટલા માટે હઝરત અબુ બકર સિદ્દિક (રદિ.) ભરવાડથી દૂધ માંગ્યું.

હઝરત અબૂ બકર સિદ્દીક રદિઅલ્લાહુ અન્હુ ફરમાવે છે:

મૈં ગોવાળિયા થી સવાલ કર્યો કે શું તમારી બકરિઓ માં દુઘ છે?

તેણે કહ્યુઃ હાં.

મેં કહ્યુઃ શું તમે મારા માટે દુઘ કાઢી સકો?

તેણે કહ્યુઃ હાં.

ત્યાર બાદ તેણે એક વાસણમાં એક બકરીનું દુઘ કાઢ્યુ અને મારા પ્યાલામાં નાંખી દીઘુ. મેં તે પ્યાલામાં થોડુ પાણી ભેળવ્યુ, જેથી કે તે દુઘ ઠંડુ થઈ જાય અને તેને લઈને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયો. જ્યારે હું આપની પાસે પહોંચ્યો તો તમો જાગી ગયા હતા. મેં અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ! દુઘ પી લ્યો. હઝરત અબુ બકર સિદ્દી (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દુઘ પીઘુ, જેનાંથી મને ઘણી ખુશી થઈ. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)

આ ઘટના પરથી હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુનો રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી તે બેપનાહ મુહબ્બત દેખાઈ આવે છે કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને દૂધનો સ્વાદ ચાખતા જોઈને તેમના દિલ ને ઘણી ખુશી થઈ; જ્યારે તે પોતે દૂધ પીતા ન હતા અને તેનો આનંદ માણી રહ્યા ન હતા.

આ મુહબ્બત મા ની મુહબ્બત જેવી છે કારણ કે જ્યારે મા તેના બાળકને ખાતા અને આનંદ લેતા જુએ છે, ત્યારે તે દૃશ્ય તેના દિલ ને ખુશ કરી દે છે.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...