વાસ્તવિક સંપત્તિ

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“અલ્લાહ તઆલાનું નામ લેતા જાવો મરવા પછી આજ કામ આવશે. મારા પ્યારાવો ! કેહવાનું માનો પછી કોઈ તમને કેહવા વાળુ નહી રહેશે. જ્યારે મરવા વાળો મરે છે તો અહિંયા વાળા તો એમજ કેહશે, ઘરવાળાઓ માટે શું છોડ્યુ અને ત્યાનાં વાળા પૂછશે શું લાવ્યો, તેથી જે કંઈ તમારી પાસે છે ત્યાનાં માટે મોકલી દો, પોતાની જરૂરતનાં માટે જરૂરતનાં અનુસાર રાખો. ત્યાં તો જે નેક કામો દુનિયામાં કરીને આવ્યા હશે તેનાં હિસાબથી મળશે અને ઘર વાળાઓ બે દિવસ રડશે અને ત્યાર બાદ કોઈ નહી રડશે. તઅઝિયત કરવા વાળા જૂઠા આંસુ વહેડાવશે ત્યાર બાદ આપણને છોડીને ચાલી જશે. ” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૨૬)

Source: https://ihyaauddeen.co.za/?p=8414


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …