ઈમામ અબુ હનીફા (રહ.) નો અદબ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ

“હઝરત ઈમામ અબુ હનીફા (રહ.) ની અદબની શાન જુઓ કે કોઈએ એમને સવાલ કર્યો કે અસવદ અફઝલ છે યા અલકમા ? ફરમાવ્યુ કે આપણું મોં તો એના કાબિલ પણ નથી કે તે હઝરાતનું નામ પણ લઈ શકીએ અને ન તેમાં ફરક કરવાનો ફેસલો કરી શકીએ. જુવો ઈમામ સાહબમાં અદબનો કેટલો ગલબો હતો. આ એમની ફિતરી વાત (કુદરતી વાત) હતી. એવીજી રીતે એક સહાબીને જુઓ જ્યારે તેમને કોઈએ પુછ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મોટા છે યા તમે. મુરાદ આ હતી કે ઉમરમાં કોન મોટા છે. એટલા માટે અકબરનો શબ્દ ઈસ્તેમાલ કર્યો. તે સહાબીએ ફરમાવ્યુ કે મોટા તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ છે પણ ઉમર મારી વધારે છે.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૪૯)

Source: https://ihyaauddeen.co.za/?p=6659


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …