કોઈ વસ્તુ ભૂલી જાય ત્યારે દુરૂદ શરીફ પઢવુ

عن أنس رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا نسيتم شيئا فصلوا علي تذكروه إن ‏شاء الله تعالى (أخرجه أبو موسى المديني بسند ضعيف كما في القول البديع صـ ٤٤۸)‏

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમે કોઈ વસ્તુ ભુલી જાવો, તો મારા પર દુરૂદ મોકલો. ઈનશાઅલ્લાહ દુરૂદની બરકતથી તે વસ્તુ તમને યાદ આવી જશે.

પગની ઘૂંટીથી ઉપર ઈજાર પહેરવુ

સુહૈલ બિન હન્જલા (રદિ.) બયાન કરે છે કે એક વખત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ખુરૈમ અસદી (રદિ.)નાં વિષે ફરમાવ્યુ કે ખુરૈમ અસદી ઘણો સારો માણસ છે. માત્ર તેની બે આદતો બરાબર નથીઃ (૧) તેનાં માંથાના બાલ ઘણાં લાંબા છે (૨) તેની ઈજાર પગની ઘૂંટીથી નીચે રહે છે.

જ્યારે હઝરત ખુરૈમ અસદી (રદિ.) સુઘી આ વાત પહુંચી, તો તેવણે તરતજ માંથાનાં વાળ કાનો સુઘી કાપી નાંખ્યા અને પોતાની ઈજાર અડઘી પીંડલી સુઘી રાખવા લાગ્યા. (સુનને અબી દાવુદ)

રસુલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સહાબએ કિરામ (રદિ.)ની બેપનાહ મોહબ્બત

કોઈ માણસે હઝરત અલી (રદિ.) થી સવાલ કર્યોઃ સહાબએ કિરામ (રદિ.)નાં દિલોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલી મોહબ્બત હતી?

હઝરત અલી (રદિ.) જવાબ આપ્યોઃ હું અલ્લાહ તઆલાની કસમ ખાઈને કહું છું કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બત અમારા દિલોમાં પોતાનો માલ, બાળકો અને માંવોથી વધારે હતો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બાબરકત સંગાત અમારા માટે ઘણી સખત અતિશય તરસની હાલતમાં એક ઘોંટ પાણીથી વધારે અઝીઝ હતી. (અશશિફા બિતઅરીફિ હુકૂકિલ મુસ્તફા)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...