માં-બાપની ફરમાંબરદારી વધારે રોઝીનો ઝરીઓ

શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જીવન અને રોઝીમાં વૃદ્ધી અને બરકતનું કારણ માં-બાપની વાતોનું પાલન કરવા અને ફરમાંબરદારી પર છે. માં-બાપની વાતો માનવા વાળો, અદબ કરવા વાળો, ખિદમત કરવા વાળો ક્યારેય પણ રોઝીની તંગીથી પીડાતો નથી અને જે માં-બાપની નાફરમાની કરવા વાળો હોય તે એક ન એક દિવસે પરેશાની માં ફસાઈને રહે છે.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૩૭)

Source: https://ihyaauddeen.co.za/?p=6564


 

Check Also

મસ્જિદના કામ

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ …