સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كل يوم مائة مرة قضى الله له مائة حاجة سبعين منها لآخرته و ثلاثين منها لدنياه (أخرجه ابن منده وقال الحافظ أبو موسى المديني: إنه غريب حسن، كذا في القول البديع صـ 277)

હઝરત જાબિર રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો (૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા તેની સો (૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર (૭૦) જરૂરતો આખિરતની જીંદગી વિશેની અને ત્રીસ (૩૦) જરૂરતો દુનયવી જીંદગીથી સંબંધિત.”

દુરૂદ શરીફ નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની શફાઅત હાસિલ થવાનો ઝરીઓ

હઝરત કુતુબ હલબી રહિમહુલ્લાહ ફરમાવે છે કે એક વખત મારી મુલાકાત હઝરત અબુ ઈસ્હાક ઈબ્રાહીમ બિન ‘અલી બિન અતિય્યહ તલીદમી રહિમહુલ્લાહ થી થઈ.

તેમણે મને બયાન કર્યુ કે “મને ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારત નસીબ થઈ. તો મૈં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી દરખાસ્ત કરી કે આપ કયામતનાં દિવસે મારી સિફારીશ ફરમાવજો.

આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે જવાબ આપ્યોઃ મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો.” (અલ- કવલુલ બદી’અ)

વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનાં કારણે અલ્લાહ તઆલા તરફથી માન-સન્માન

અબુલ અબ્બાસ અહમદ બિન મનસૂર (રહ.) નાં વિષે મનકૂલ છે કે જ્યારે એમનો ઈન્તેકાલ થઈ ગયો, તો શીરાઝનાં એક માણસે એમને સપનાં માં જોયા કે તેઓ શીરાઝની જામેઅ મસ્જીદમાં ખૂબસૂરત કપડા અને હીરા જવેરાતથી શણગારેલ(સુશોભિત) તાજ પહેરી ઉભા છે. તો એમણે તેમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો? એમણે જવાબ આપ્યોઃ “અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી, મારો સન્માન કર્યો, મને તાજ પહેરાવ્યો અને મને જન્નતમાં દાખલ ફરમાવ્યો. તો એમણે પૂછ્યુઃ કયા અમલ(કામ)નાં કારણે? તેમણે કહ્યુઃ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વધારે પ્રમાણમાં દુરૂદશરીફ પઢવાનાં કારણે. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=6218

Check Also

દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતોનું પુરૂ થવુ

“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...