ખૈર-ઓ-ભલાઈ કો હાસિલ કરના

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من قرأ القرآن وحمد الرب وصلى على النبي صلى الله عليه وسلم واستغفر ربه فقد طلب الخير مكانه (شعب الإيمان، الرقم: 2084، وسنده ضعيف كما في القول البديع صـ 280)

હઝરત અબૂ હુરૈરા રદિ અલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે, “જે વ્યક્તિ કુર્આને કરીમ પઢે અને પોતાનાં પરવરદિગારની તારીફ કરે અને નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલે અને પછી અલ્લાહ ત’આલાથી પોતાનાં ગુનોહોની મગફિરત તલબ કરે, તો એવા વ્યક્તિએ ખૈર-ઓ-ભલાઈની જગ્યાઓ થી ખૈર-ઓ-ભલાઈને તલબ કરી.”

મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો

ઉહુદ ની લડાઈમાં હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી કે શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા.

અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ તેવણ જીવીત હોય. પછી પુકાર પાડીને કહ્યુ કે મને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોકલ્યો છે કે સઅદ બિન રબીઅ (રદિ.) ની ખબર કાઢી લાવું. તો એક જગ્યાએથી ઘણી ધીમી અવાજ આવી તેવણ તેની તરફ વધ્યા. જઈને જોયુ કે સાત મકતૂલીન (શહીદો) નાં વચ્ચે પડેલા છે અને થોડી ઘણી સાંસ બાકી છે.

જ્યારે તેઓ પાસે પહોંચ્યા તો હઝરત સઅદ (રદિ.) કહ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને મારા સલામ અરજ કરી દેજો અને કહેજો કે અલ્લાહ ત’આલા મારા તરફથી આપને આનાંથી અફઝલ અને બેહતર બદલો અતા ફરમાવે જે કોઈ નબીને તેમનાં ઉમ્મતી તરફથી બેહતર માં બેહતર અતા કર્યો હોય.

અને મુસલમાનોંને મારો આ સંદેશો પહોંચાડી દેજો કે જો કાફિર હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સુઘી પહોંચી ગયા અને તમારામાંથી કોઈ એક આંખ પણ ચમકતી હોય એટલે જીવતા હોય તો અલ્લાહ તઆલાને ત્યાં કોઈ બહાનું પણ તમારુ ન ચાલશે અને આ કહીને શહીદ થઈ ગયા (મૃત્યુ પામી ગયા).

હકીકતમાં આ વફાદારોએ (સહાબએ કિરામે) (અલ્લાહ તઆલા પોતાનાં લુત્ફ થી તેઓની કબ્રોને નૂરથી ભરી દે) પોતાની વફાદારીનો પૂરો સબૂત આપી દીધો કે ઝખમો (ઘા) પર ઝખમો (ઘા) લાગેલા છે, મરી રહ્યા છે પરંતુ શું મજાલ છે કે કોઈ ફરિયાદ કોઈ ગભરાટ કોઈ ચિંતા આડે આવી જાય. વલવલો (જુસ્સો) છે તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની હિફાઝત નો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની વફાદારી કરવાનો, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કુર્બાન થવાનો કે કાશ મારા જેવા નાઅહલને પણ કોઈ હિસ્સો આ મુહબ્બતનો નસીબ થઈ જાય. (ફઝાઈલે આમાલ, પેજ નં-૧૭૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=16252

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...