દસ નેકીઓનું મળવું

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حسنات (صحيح ابن حبان، الرقم: 905 ، مسند أحمد، الرقم: 7561، ورجاله رجال الصحيح غير ربعي بن إبراهيم وهو ثقة مأمون كما في مجمع الزوائد، الرقم: 17282)

હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જે માણસ મારા પર એક દુરુદ મોકલે છે, અલ્લાહ તઆલા તેના માટે દસ નેકી લખે છે.

દુરૂદ શરીફની વિપુલતાનાં કારણે મૌતની સખતીથી હિફાઝત

નીચેની ઘટના નુઝહતુલ-મજાલિસમાં નકલ કરવામાં આવી છે:

એક સજ્જન એક બીમાર વ્યક્તિ પાસે ગયા (તે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા).

તેને પૂછ્યું કે તે મૌતની કડવાશ કેવી અનુભવી રહ્યા છે?

તેણે કહ્યું: હું કંઈપણ ખબર નથી પડતી, કારણ કે મેં આલિમો પાસેથી સાંભળ્યું છે કે જે વ્યક્તિ દુરુદ શરીફને ખૂબ પઢતો રહે, તે મૃત્યુની કડવાશથી સુરક્ષિત રહે છે (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

 

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...