પૂરેપૂરા સવાબવાળુ દુરૂદ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يكتال بالمكيال الأوفى إذا صلى علينا أهل البيت فليقل: اللهم صل على محمد النبي الأمي وأزواجه أمهات المؤمنين وذريته وأهل بيته كما صليت على آل إبراهيم إنك حميد مجيد (سنن أبي داود، الرقم: 982، وسكت عليه هو والمنذري في مختصره، الرقم: 981)

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જેને એ પસંદ હોય કે તેનું દુરૂદ સૌથી સંપૂર્ણ પૈમાનાં (સ્કેલ) થી માપવામાં આવે (તેને તે દુરૂદનો સંપૂર્ણ સવાબ મળે), તો જ્યારે તે અમારા ઉપર એટલે અહલુલ બૈત પર દુરૂદ મોકલે, તો તેને જુવે કે તે (નીચે મુજબ) દુરૂદ પઢેઃ

اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَأَزْوَاجِهِ أُمَّهَاتِ الْمُؤْمِنِيْنَ وَذُرِّيَّتِهِ وَأَهْلِ بَيْتِهِ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ

હે અલ્લાહ! દુરૂદ (રહમત) મોકલો અમારા આક઼ા મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર જે ઉમ્મી નબી છે અને તેમની બીવીઓ પર જે બઘા મોમીનોંની માંઓ છે અને તેમની ઓલાદ પર અને તેમનાં અહલુલ બૈત પર, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર દુરૂદ (રહમત) મોકલ્યુ. બેશક તમે સઘળી તારીફ નાં  લાયક છો અને બુઝુર્ગ-ઓ-બરતર  છો.

અહલુસ સુન્નત વલ જમાઅતનો નુમાયાં અમલ

હઝરત ઝૈનુલ આબિદીન હુસૈન બિન અલી (રહ.) નું ફરમાન છે કે અહલુસ સુન્નત વલ જમાઅત નો નુમાયાં અમલ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કસરત થી દુરૂદ મોકલવુ છે.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/333-the-intercession-of-nabi-sallallahu-alaihi-wasallam , http://ihyaauddeen.co.za/?p=7440

 

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...