જુમઆનાં દિવસે વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવુ

عن أبي أمامة قال: قال رسول الله صلى الله عليه وسلم: أكثروا علي من الصلاة في كل يوم جمعة فإن صلاة أمتي تعرض علي في كل يوم جمعة فمن كان أكثرهم علي صلاة كان أقربهم مني منزلة (شعب الإيمان، الرقم: ٢٧٧٠، وقال الإمام المنذري رحمه الله في الترغيب والترهيب ٢/٣٢٨: رواه البيهقي بإسناد حسن إلا أن مكحولا قيل لم يسمع من أبي أمامة)

હઝરત અબૂ ઉમામા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે દરેક જુમઆનાં દિવસે મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો, કારણકે દરેક જુમઆનાં મારી સામે મારી ઉમ્મતનાં દુરૂદ પેશ કરવામાં આવે છે, જેથી જે મારા પર સૌથી વધારે દુરૂદ મોકલશે, તે મારાથી મકામ અને મર્તબાનાં લિહાઝથી સૌથી વધારે નઝદીક હશે.

દુરૂદ શરીફની બરકતથી હિફાઝત

હઝરત શિબલી (રહ.) થી મરવી છે કે મેં એક પડોશીને સપનામાં જોયો જેનો ઈન્તેકાલ થઈ ગયો હતો. મેં પુછ્યુ અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો.

કહ્યુ હે શિબલી મારા પર સખત હાલાત આવ્યા, કબરમાં સવાલનાં સમયે કબર મારા પર લરઝી ઉઠી. મેં દીલમાં કહ્યુ કે શું હું ઈસ્લામ પર નથી મર્યો? અવાજ આવ્યો કે આ તારી દુન્યામાં વગર એહતિયાતે ઝબાન ચલાવવાનાં કારણે છે જ્યારે કબરનાં તે બન્નેવ ફરિશ્તાઓએ (અઝાબ આપવાનો) ઈરાદો કર્યો તો એ બેહતરીન શકલ અને સૂરતવાળો માણસ દરમિયાનમાં આવી ગયો જે ખુશ્બુઓથી સુગંધિત હતો તેણે મને ફરિશ્તાઓનાં જવાબ યાદ અપાવી દીધા.

મેં કહ્યુ અલ્લાહ તઆલા તમારા પર રહમ કરે તમે કોન છો? તેણે કહ્યુ કે હું તે છું જે તમારા વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનાં કારણે પૈદા કરવામાં આવ્યો છું અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું દરેક મુસીબતમાં તમારી મદદ કરું. (અલ કવલુલ બદીઅ, પેજ નઃ૬૮)

Source: http://whatisislam.co.za/index.php/durood/item/583-saved-through-the-blessing-of-durood

http://ihyaauddeen.co.za/?p=5973

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...