દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده حبان بن منقذ أن رجلا قال: يا رسول الله أجعل ثلث صلاتي عليك قال: نعم إن شئت قال: الثلثين قال: نعم قال: فصلاتي كلها قال رسول الله صلى الله عليه وسلم: إذن يكفيك الله ما أهمك من أمر دنياك وآخرتك (المعجم الكبير للطبراني، الرقم: 3574، وإسناده حسن كما في الترغيب والترهيب للمنذري، الرقم: 2578)

હઝરત હબ્બાન બિન મુનકિઝ (રદિ.) થી રિવાયત છે કે એક સહાબીએ સવાલ કર્યોઃ એ અલ્લાહનાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું હું પોતાની દુઆનો ત્રણ તિહાઈ(ત્રણ તૃતીયાંશ) ભાગ તમારા પર દુરૂદ મોકલવા માટે ખાસ કરી શકું? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અગર તમે ચાહો, તો એવુ કરી શકો છો. તેમણે સવાલ કર્યો કે શું હું બે તિહાઈ (બે તૃતીયાંશ) ભાગ દુરૂદ શરીફનાં માટે ખાસ કરી શકુ? આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, હાં, અગર તમે ચાહો. એવણે પુછ્યુ કે શું હું પૂરી દુઆનો ભાગ દુરૂદ શરીફનાં માટે ખાસ કરી શકું એટલે હું દુઆનાં સમયે માત્ર દુરૂદ શરીફ પઢું અને કંઈપણ ન માંગુ, શું હું એવુ કરી શકું? રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ ત્યારે તો અલ્લાહ તઆલા તમારી દુન્યવી અને ઉખરવી બઘી જરૂરતોનાં માટે કાફી થઈ જશે એટલે તમે અગરચે અલ્લાહ તઆલાથી કોઈ વસ્તુનો સવાલ પણ ન કરશો, તો પણ અલ્લાહ તઆલા તમારી દરેક જરૂરતોને પૂરી ફરમાવશે.

નોટઃ- ઉપરોક્ત હદીષના મફહૂમ(સમજૂતી)ની તાઈદ નિચે પ્રમાણેની હદીષે કુદસીથી થાય છે,

من شغله ذكري عن مسالتي أعطيته أفضل ما أعطي السائلين

જે માણસ મારા ઝિક્રમાં મશગુલ હોવાનાં કારણે મને સવાલ ન કરી શક્યો, હું(અલ્લાહ તઆલા)તેને સવાલ કરવાવાળાથી બેહતર વસ્તુ આપીશ.

હઝરત ઝૈદ બિન દષિના(રદિ.) નો જવાબ

જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ (રદિ.) ને કેદ કર્યા અને કતલ(હત્યા) કરવાનો નિર્ણય કર્યો તો તેઓએ તેમને પુછ્યુ કે, “હે ઝૈદ તને ખુદાની ક઼સમ સાચુ કહેજો શું તને આ પસંદ છે કે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ગરદન તારા બદલામાં મારી દેવામાં આવે અને તને છોડી દેવામાં આવે કે પોતાનાં કુટુંબમાં સુખી અને ખુશ રહે?”

હઝરત ઝૈદ (રદિ.) ફરમાવ્યુ કે, “ખુદાની ક઼સમ મને એ પણ ગવારા નથી કે હુઝૂરે અક઼દસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં છે ત્યાં તેમને એક કાંટો પણ લાગે અને અમે પોતાનાં ઘરમાં આરામથી રહીએ.” આ જવાબ સાંભળી કુફ્ફાર હૈરાન રહી ગયા, અબુ સુફિયાને કહ્યુ, “મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાથિયોને જેટલી તેમનાંથી મુહબ્બત જોયી તેની નઝીર(તેમનાં જેવા) ક્યાંય નથી જોયી.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૬૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/576-reserving-a-special-time-for-reciting-durood

http://ihyaauddeen.co.za/?p=7735

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...