સૌથી અફઝલ દુરૂદ

અ઼લ્લામા સખાવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે સૌથી અફઝલ દુરૂદ દુરૂદે-ઇબ્રાહીમ છે; કારણ કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને આ જ દુરૂદની તાલીમ આપવામાં આવી હતી જ્યારે તેમણે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને પૂછ્યું કે કુરઆને-મજીદમાં અલ્લાહ ત’આલાએ અમને દુરૂદ પઢવાનો હુકમ આપ્યો છે, તો અમે કુરઆનના આ હુકમને કેવી રીતે પૂરો કરીએ.

અ઼લ્લામા નવવી રહ઼િમહુલ્લાહએ પોતાની કિતાબ ‘રૌઝા’ (روضہ) માં લખ્યું છે કે જો કોઈ શખ્સ આ કસમ ખાય કે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર સૌથી અફઝલ દુરૂદ પઢશે, તો જો તે દરૂદે-ઇબ્રાહીમ પઢશે, તો તેની કસમ પૂરી થઈ જશે.

મશહૂર ફકીહ અ઼લ્લામા શામી રહ઼િમહુલ્લાહ બયાન કરે છે કે ઇમામ મુહ઼મ્મદ રહ઼િમહુલ્લાહ (જે ઇમામ અબૂ-હનીફા રહ઼િમહુલ્લાહના શાિગર્દ હતા) તેમને એક વાર પૂછવામાં આવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ કયા અલ્ફાઝમાં પઢવામાં આવે? તો તેમણે આ જ દરૂદે-ઇબ્રાહીમ પઢવા માટે કહ્યું.

આ જ કારણ છે કે દરૂદે-ઇબ્રાહીમને ફિકહે-હનફીમાં સૌથી અફઝલ દુરૂદ કરાર આપવામાં આવ્યું છે અને નમાઝમાં આ જ પઢવું ઔલા અને અફઝલ શુમાર કરવામાં આવ્યું છે.

આ વાત ઝેહન-નશીન રહે કે દરૂદ શરીફના અલગ-અલગ અલ્ફાઝ અલગ-અલગ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમથી મન્કૂલ છે. તે સહાબા-એ-કિરામે આ બધા દુરૂદ બરાહે-રાસ્ત (સીધા) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસેથી શીખ્યા; પરંતુ જ્યારે આપણે આ અલગ-અલગ દુરૂદોને જોઈએ છીએ, તો આપણને ખબર પડે છે કે તેમના અલ્ફાઝમાં કઈક ફરક છે.

હઝરત શૈખુલ-હદીસ મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા કાંધલવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે આની વજહ એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે અલગ-અલગ સહાબાને અલગ-અલગ દરૂદ શીખવ્યા જેથી કોઈ લફ્ઝ ખાસ તોર પર વાજિબ ન બની જાય.

આ વાત પણ જાણવી જરૂરી છે કે દુરૂદ શરીફ પઢવું એક વસ્તુ છે અને કોઈ ખાસ દુરૂદ પઢવું જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ છે, તે બીજી વસ્તુ છે. તેથી જો કોઈ માણસ એવું દુરૂદ પઢે જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ ન હોય, તો તે પણ જાયઝ છે; બશર્તે કે તેના અલ્ફાઝ અને માયના (અર્થ) સહી હોય. પરંતુ તે ખાસ દુરૂદને પઢવું જે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મન્કૂલ છે, સૌથી અફઝલ છે અને વધારે અજર અને સવાબનું નિમિત્ત (સબબ) છે.

Check Also

સૌથી બહતર દુરુદ

હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ …