દુઆ માંગવા પહેલા દુરૂદ શરીફ પઢવુ

عن عبد الله بن مسعود رضي الله عنه قال: إذا أراد أحدكم أن يسأل فليبدأ بالمدحة والثناء على الله بما هو أهله ثم ليصل على النبي صلى الله عليه وسلم ثم ليسأل بعد فإنه أجدر أن ينجح (المعجم الكبير للطبراني، الرقم: 8780، ورجاله رجال الصحيح إلا أن أبا عبيدة لم يسمع من أبيه كما في مجمع الزوائد، الرقم: 17255)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ(રદિ.) ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઈ અલ્લાહ તઆલાથી દુઆ કરવાની ઈચ્છા કરે, તો સૌથી પેહલા તે અલ્લાહ તઆલાની એમની શાનનાં લાયક હમ્દો ષના(તઅરીફ અને પ્રશંસા) કરે. પછી નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે. ત્યાર પછી દુઆ કરે. કારણકે આ સફળતાની વધારે લાયક છે.(ઉપર બતાવેલા તરીકા પ્રમાણે દુઆ કરવામાં કબૂલિયતની વધારે આશા છેં)

દુરૂદની વિપુલતાનાં કારણે જન્નતમાં દાખલો

એક સાહબે અબુ હફ્સ કાગઝી(રહ.)ને તેમનાં મૃત્યુ પછી સપનાંમાં જોયા. એમને પુછ્યુ કે શું મામલો થયો? એમણે કહ્યુ કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ(કૃપા કરી) ફરમાવ્યો,મારી મગફીરત ફરમાવી(ક્ષમા કરી દીધો)ને જન્નતમાં દાખલ કરવાનો હુકમ આપી દીઘો. તેમણે કહ્યુ આ કેવી રીતે થયુ? એમણે કહ્યુ કે જ્યારે મારી હાજરી થઈ તો ફરિશ્તાઓને હુકમ આપવામાં આવ્યો. તેઓએ મારાં ગુનાહ અને મારા દુરૂદ શરીફ ને ગણ્યા તો મારા દુરૂદ શરીફ ગુનાહોથી વઘી ગયા તો મારાં અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ કે “હે ફરિશ્તાઓ બસ બસ અગાડી હિસાબ ન કરશો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.”(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૭)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://whatisislam.co.za/index.php/history/seerah/seeratul-mustafaa/item/481http://ihyaauddeen.co.za/?p=6230

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...