જમીન પર ચાલતો ફરતો શહીદ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું:

من سره أن ينظر إلى شهيد يمشي على وجه الأرض فلينظر إلى طلحة بن عبيد الله (سنن الترمذي، الرقم: ٣٧٣٩)

“જે કોઈ શહીદને પૃથ્વીના ચહેરા પર ચાલતા જોવા માંગે છે, તે તલ્હા બિન ઉબૈદુલ્લાને જોવે.”

(પૃથ્વી = જમીન)

હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની ઉદારતા

અલી બિન ઝૈદ રદ઼િય-લ્લાહુ અન્હુનું વર્ણન (બયાન) છે કે એક વાર એક ગ્રામીણ હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુ પાસે મદદ માંગવા આવ્યો. આ ગામડિયો હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુ અન્હુનો સગો હતો; તેથી, તે ગામડિયાએ સગપણના આધારે હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુની સામે તેની માંગણી રજૂ કરી.

હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે તમારા પહેલા કોઈએ મારી પાસે સગપણનો આધાર લઈને મદદ નથી માંગી.

ત્યારે હઝરત તલ્હા રદ઼િય-લ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે મારી પાસે એક જમીન છે, જેના માટે હઝરત ઉસ્માન રદ઼િય-લ્લાહુ અન્હુએ મને ત્રણ લાખ (300,000) દિરહમની ઓફર કરી છે. તમે આ જમીન લઈ લો અને જો તમે ઈચ્છો તો હું આ જમીન તમારા તરફથી હઝરત ઉસ્માન રદ઼િય-લ્લાહુ અન્હુને વેચી દઈશ અને તમને પૂરી રકમ આપી દઈશ.

કુબૈસા બિન જાબીર રહ઼િમહુલ્લાહ કહે છે કે હું હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય-લ્લાહુ અન્હુના સાનિધ્યમાં (સોહબતમાં) થોડો સમય રહ્યો અને મેં એમના થી વધારે સખી કોઈને જોયો નથી કે જે ગરીબોના માંગ્યા વગર ગરીબો પર ખર્ચ કરતો હોય.

Check Also

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હા) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد …