રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅત

عن رويفع بن ثابت رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى على محمد وقال: اللهم أنزله المقعد المقرب عندك يوم القيامة، وجبت له شفاعتي (المعجم الكبير للطبراني، الرقم: 4480، وإسناده حسن كما في مجمع الزوائد، الرقم: 17304)

હઝરત રુવયફઅ બિન ષાબિત અંસારી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, જે મારા પર આ દુરૂદ મોકલે, તો કયામત ના દિવસે હું તેની સિફારીશ કરીશ:

اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ أَنْزِلْهُ المقْعَدَ المقَرَّبَ عِنْدَكَ يَومَ القِيَامَة

એ અલ્લાહ ! તમે હઝરત મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો અને કયામતનાં દિવસે તેમને એવી મુબારક જગ્યા પર પહોંચાડો, જે તમારા નઝદીક મુકર્રબ હોય.

હઝરત ઈમામ શાફઈ (રહ.) નો ખાસ દુરૂદ

“રવઝતુલ અહબાબ” માં ઈમામ શાફઈ(રહ.) નાં પ્રખ્યાત શાર્ગિદ ઈમામ ઈસ્માઈલ બિન ઈબ્રાહિમ મઝની(રહ.) ની રિવાયત થી એમનાં ખ્વાબ નો કિસ્સો નકલ કરવામાં આવ્યો છે કે, મેં ઉસ્તાદે મુહતરમ હઝરત ઈમામ શાફઈ (રહ.) ને ઈન્તેકાલ પછી ખ્વાબ માં જોયા.

મેં પુછ્યુ કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો(વર્તન) ફરમાવ્યું?

હઝરત ઈમામ શીફઈ(રહ.) જવાબ આપ્યો, અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી(મને માફ કરી દીઘો). અને માન-સન્માન ની સાથે જન્નતમાં દાખલ ફરમાવ્યો અને આ રૂતબો એક ખાસ દુરૂદ શરીફ નાં કારણે પ્રાપ્ત(હાસિલ) થયો છે. જે હું કાયમ પઢ્યા કરતો હતો.

મેં પુછ્યુ, તે દુરૂદ કયું છે ?

હઝરત ઈમામ શાફઈ (રહ.) જવાબ આપ્યો,

اللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ كُلَّمَا ذَكَرَهُ الذَّاكِرُونَ وَ كُلَّمَا غَفَلَ عَن ذِكْرِهِ الْغَافِلُونَ

એ અલ્લાહ ! હઝરત મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એટલું દુરૂદ(રહમત) નાઝિલ ફરમાવ, જેટલું એમનો ઝિક્ર કરવા વાળા ઝિક્ર કરે છે. અને જેટલું ગફલતમાં રેહવા વાળા એમનાં ઝિક્રથી ગાફિલ રહે છે. (ફઝાઈલે દુરૂદ પેજ નંબર:૧૫૧)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=3993

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...