કમ-નસીબ માણસ

جابر بن عبد الله رضي الله عنهما يقول: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فلم يصل علي فقد شقي (عمل اليوم والليلة لابن السني، الرقم: ۳۸۱)

હઝરત જાબીર રદ઼િયલ્લાહુ અન્હુ એ હુઝ઼ૂરે-અક઼દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ નકલ કર્યો છે કે જેની સામે મારો ઉલ્લેખ કરવામાં આવે અને મારા ઉપર દુરૂદ ન મોકલે, તે બદ-બખ્ત (કમ-નસીબ) છે.

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ બંનેની પસંદ એક

હઝરત અબૂ-બકર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુએ તેમના વાલિદ સાહબ (પિતાજી) ના ઇસ્લામ સ્વીકારવા પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને કહ્યુ:

તે ઝાતની કસમ! જેણે તમને સાચો દીન (ધર્મ) લઈને મોકલ્યા, મને આ વાતની ખુશી છે કે મારા વાલિદ સાહબ ઈસ્લામ લાવ્યા, પરંતુ તમારા કાકા અબૂ-તાલિબ જો ઈસ્લામ કબૂલ કરતે, તો મને મારા પિતાજીના ઈસ્લામ લાવવાના મુકાબલામાં વધારે ખુશી થતે.

હઝરત અબૂ-બકર રદ઼િયલ્લાહુ અન્હુ ના મોઢે આ વાત સાંભળી ને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ઘણા ખુશ થયા અને આ નિ:સ્વાર્થ મોહબ્બત ને પ્રમાણિત કરતા ફરમાવ્યું: બેશક તમે સાચી વાત કહી. (મુસ્નદે-બઝ્ઝાર)

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...