દસ ગણો ષવાબ

عن عبد الله بن أبي طلحة عن أبيه أن رسول الله صلى الله عليه وسلم جاء ذات يوم والبشرى في وجهه فقلنا: إنا لنرى البشرى في وجهك فقال: إنه أتاني جبريل عليه السلام فقال: يا محمد، إن ربك يقول: أما يرضيك أنه لا يصلي عليك أحد إلا صليت عليه عشرا، ولا يسلم عليك أحد، إلا سلمت عليه عشرا (سنن النسائى، الرقم: ۱۲۸۳)

હઝરત અબૂ તલ્હા (રદિ.) થી રિવાયત છે કે એક દિવસ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારી પાસે એવી હાલતમાં તશરીફ લાવ્યા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો નૂરાની ચેહરો ખુશી થી ચમકી રહ્યો હતો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (ઘણી ખુશીનું કારણ બયાન કરતા) ઈરશાદ ફરમાવ્યુ કે હઝરત જીબ્રઈલ(અલ.) મારી પાસે આવ્યા અને ફરમાવ્યુઃ એ મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું હું એવી વાત બયાન ન કરૂં, જેનાથી તમને અનહદ(બેહદ) ખુશી થાય.(અલ્લાહ તઆલા તમારાથી ફરમાવી રહ્યા છે કે) જે પણ તમારા પર એક વખત દુરૂદ મોકલે છે તેના ઉપર દસ દુરૂદ(રહમતોં) મોકલુ છું અને જે પણ તમારા ઉપર એક વખત સલામ મોકલે છે મેં તેના ઉપર દસ સલામ મોકલુ છું.

દુરૂદ ની સાથે સલામ પઢવું

અબૂ સુલયમાન હર્રાની(રહ.) વણઁવે છે કે હું એક વખત હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સપના માં ઝિયારત(દર્શન) કરી, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “હે અબૂ સુલયમાન (રહ.) જ્યારે તમે હદિષ શરીફ માં મારૂ નામ લો છો અને તેના ઉપર દુરૂદ પણ પઢો છો તો પછી “વસલ્લમ” કેમ નથી કેહતા?, આ ચાર હુરૂફ છે અને દરેક હુરૂફ પર દસ નેકિયોં મળે છે તો તમે ચાલીસ નેકિયોં(પુણ્ય) છોડી દો છો.(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૬૩)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم  دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5585

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...