જ્યાં પણ હોય, ત્યાં દુરૂદ શરીફ પઢો

عن الحسن بن علي رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال حيثما كنتم فصلوا علي فإن صلاتكم تبلغني (المعجم الكبير للطبراني، الرقم: 2729، وإسناده حسن كما في الترغيب والترهيب للمنذري، الرقم: 2571)

હઝરત હસન બિન અલી રઝ઼િયલ્લાહુ અન્હુમાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું, “તમે જ્યાં પણ હોય, મારા પર દુરૂદ મોકલ્યા કરો, બેશક તમારા દુરૂદો મારા સુઘી (ફરિશ્તાઓ મારફતે) પહોંચે છે.”

અલ કવલુલ બદીઅ

અલ્લામા સખાવી (અલ્લાહ એમના પર રહમ કરે) ફરમાવે છે કે, મને શેખ અહમદ બિન રસ્લાન (અલ્લાહ એમના પર રહમ કરે) નાં શાર્ગિદો (શિષ્યો) માંથી એક વિશ્વાસુએ કહ્યુ કે એમને સ્વપ્નમાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત (મુલાકાત) થઈ અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં આ કિતાબ “અલ કવલુલ બદીઅ ફિસ સલાતિ અલલ હબીબિશ શફીઅ” (જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાં વિશે અલ્લામાં સખાવી (અલ્લાહ એમના પર રહમ કરે) નું પ્રખ્યાત પુસ્તક છે, અને આ કિતાબનાં મોટાભાગનાં લેખ એમાંથીજ લેવામાં આવ્યા છે).

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સેવામાં આ કિતાબ પેશ કરવામાં આવી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એ કિતાબ ને કબુલ ફરમાવી. સ્વપ્ન ખૂબ લાંબો છે, જેનાં કારણે મને ઘણીજ ખૂશી થઈ. અને હું અલ્લાહ તઆલા અને એમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તરફથી એની કબૂલિયતની (સ્વિકાર્યતાની) ઉમ્મીદ રાખુ છું. અને ઈન્શાઅલ્લાહ બંને જગતમાં વઘારેથી વઘારે સવાબનો ઉમ્મીદવાર છું.

તેથી તુ પણ એ મુખાતબ (તમે) આપણાં પાક નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઝિક્ર અચ્છાઈઓની સાથે કરતા રહેજો અને દિલ અને ઝુબાનથી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વઘારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો. એટલા માટે કે તમારૂ દુરૂદ શરીફ હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબર મુબારકમાં પહોંચે છે. અને તમારૂ નામ હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પેશ કરવામાં આવે છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૫)

બેપનાહ મોહબ્બત સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમની રસુલે-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી

કોઈ માણસે હઝરત અલી રઝ઼િયલ્લાહુ અન્હુને સવાલ કર્યોઃ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમના દિલોમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની કેટલી મોહબ્બત હતી?

હઝરત અલી રઝ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યોઃ હું અલ્લાહ તઆલાની કસમ ખાઈને કહું છું કે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મોહબ્બત અમારા દિલોમાં અમારી પોતાની માલો-દૌલત, બાળકો અને અમારી માંઓથી વધારે હતી અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની બા-બરકત સોબત અમારા માટે ઇન્તિહાઈ પ્યાસની હાલતમાં એક ઘોંટ પાણીથી વધારે પ્યારી હતી. (અશ્-શિફા બિ-તારીફિ હુકૂકિલ-મુસ્તફા ૫૨/૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5904 & http://ihyaauddeen.co.za/?p=5965

Check Also

ઈખલાસ (નિખાલસતા) થી દુરૂદ શરીફ પઢવું

عن ابي بردة بن نيار رضي الله عنه قال قال رسول الله صلي الله عليه وسلم من صلى علي من أمتي صلاة مخلصا من قلبه صلى الله عليه بها عشر صلوات ورفعه بها عشر درجات وكتب له بها عشر حسنات ومحا عنه عشر سيئات (السنن الكبرى للنسائى رقم ٩٨٠٩)...