ઝિલ હિજ્જહની સુન્નતોં અને આદાબ

(૧) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં ખૂબ ઈબાદત કરો. આ દસ દિવસોમાં ઈબાદત કરવાની ઘણી વધારે ફઝીલતો વારિદ થઈ છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે પણ નેક અમલ વર્ષનાં બીજા દિવસોમાં કરવામાં આવે, તે તે નેક અમલથી અફઝલ નથી જે તે દસ દિવસોમાં કરવામાં આવે.” સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુ “જીહાદ પણ નથી?” આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “જીહાદ પણ નથી”, પણ આ કે કોઈ માણસ (જીહાદમાં) પોતાની જાન અને પોતાનો માલ ખતરામાં નાંખી દે અને કોઈ વસ્તુની સાથે ન આવે (તે દસ દિવસોમાં જીહાદનો ષવાબ વર્ષનાં બીજા દિવસોમાં જીહાદથી વધારે છે પણ આ કે બીજા કોઈ સમયમાં જીહાદ કરે અને શહીદ થઈ જાય). (સહીહ બુખારી)

(૨) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં રોઝો રાખવાની કોશિશ કરો. આ દસ દિવસોમાં (દસમી ઝિલ હિજ્જહનાં વગર) જે માણસ રોઝા રાખે, તો તેને દરેક રોઝાનાં બદલામાં આખા વર્ષ રોઝા રાખવાનો ષવાબ મળશે.

(૩) ઝિલ હિજ્જહની પેહલી દસ રાતોમાં વધારેથી વધારે ઈબાદત કરો, કારણકે આ રાતોમાં ઈબાદત કરવાનો ષવાબ શબે કદરમાં ઈબાદત કરવાનાં ષવાબનાં બરાબર છે.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “વર્ષનાં કોઈ પણ દિવસમાં ઈબાદત કરવુ અલ્લાહ તઆલાને એટલુ મહબૂબ નથી, જેટલુ ઝિલ હિજ્જહનાં દસ દિવસોમાં ઈબાદત કરવુ મહબૂબ છે. આ દસ દિવસોમાં (દસમી ઝિલ હિજ્જહનાં વગર) દરેક દિવસનો રોઝો વર્ષ ભરનાં રોઝાનાં બરાબર છે અને આ દસ દિવસોમાં દરેક રાતની ઈબાદત શબે કરદની ઈબાદતનાં ષવાબનાં બરાબર છે.” (તિર્રમીઝી)

એક બીજી હદીષ શરીફમાં હઝરત હફસા (રદિ.) થી મનકૂલ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ચાર આમાલ નહી છોડતા હતાઃ (૧) આશૂરાનો રોઝો (૨) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં રોઝો (દસમી ઝિલ હિજ્જહનાં વગર) (૩) દરેક મહીને ત્રણ દિવસનાં રોઝા (૪) ફજરથી પેહલા બે રકઅત સુન્નતનું પઢવુ. (સુનને તિર્મિઝી)

(૪) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ફરમાન છે કે જે માણસ વર્ષની પાંચ રાતોમાં ઈબાદત કરે, તેનાં માટે જન્નત વાજીબ થઈ જશે. તે પાંચ રાતો આ છેઃ

(૧) લયલતુત તરવિયહ (આંઠમી ઝિલ હિજ્જહની રાત)

(૨) અરફાની રાત (નવમી ઝિલ હિજ્જહની રાત)

(૩) લયલતુન નહર (દસમી ઝિલ હિજ્જહની રાત)

(૪) ઈદુલ ફિતર

(૫) શબે બરાઅત (પંદરમી શાબાનની રાત).

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ વર્ષની પાંચ રાત ઈબાદતથી જીવિત કરે (એટલે આ રાતોને ઈબાદતમાં ગુજારો) તેનાં માટે જન્નત વાજીબ થઈ જશે (તે પાંચ રાતો આ છે) તરવિયહની રાત (આંઠમી ઝિલ હિજ્જહની રાત), અરફાની રાત (નવમી ઝિલ હિજ્જહની રાત), લયલતુન નહર (દસમી ઝિલ હિજ્જહની રાત), ઈદુલ ફિતર અને પંદરમી શાબાનની રાત.” (અત તરગીબ વત તરહીબ)

(૫) જે માણસ એહરામની હાલતમાં ન હોય, તેનાં માટે અરફાનાં દિવસે (નવમીં ઝિલ હિજ્જહ) રોઝો રાખવુ મુસ્તહબ છે.અરફાનાં દિવસે રોઝો રાખવા વાળાને એક વર્ષ રોઝો રાખવાનો ષવાબ મળે છે અને તેનાં બે વર્ષનાં ગુનાહ માફ કરવામાં આવે છે.

હઝરત અબુ કતાદા (રદિ.) ફરમાવે છે કે એક સહાબીએ નબિએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી સવાલ કર્યો “હે અલ્લાહનાં રસૂલ ! આશૂરાનાં દિવસે રોઝા રાખવા વાળાને શું ષવાબ મળશે?” નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જવાબ આપ્યો “આશૂરાનાં દિવસે રોઝો રાખવાનો ષવાબ આખા વર્ષ રોઝો રાખવાનાં ષવાબનાં બરાબર છે.” પછી તે સહાબીએ સવાલ કર્યો “અરફાનાં દિવસે રોઝો રાખવાનો શું ષવાબ છે?” નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જવાબ આપ્યો “અરફાનો રોઝો ચાલુ વરસ અને ગયા વરસનાં (સગીરા) ગુનાહોંને મિટાવી નાંખે છે.” (સહીહ ઈબ્ને હિબ્બાન)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ફરમાવે છે કે “મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે હજ્જ કર્યો (તો મેં જોયુ કે) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અરફાનાં દિવસે (હજ્જનાં દરમિયાન) રોઝો નહીં રાખ્યો. મેં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) ની સાથે હજ્જ કર્યો. તેવણે પણ (હજ્જમાં) અરફાનાં દિવસે રોઝો નહી રાખ્યો. એવીજ રીતે મેં હઝરત ઉમર (રદિ.) ની સાથે હજ્જ કર્યો, તેવણે પણ (હજ્જમાં) અરફાનાં દિવસે રોઝો નહી રાખ્યો. પછી મેં હઝરત ઉષમાન (રદિ.) ની સાથે હજ્જ કર્યો, તો તેવણે પણ અરફાનાં દિવસે (હજ્જમાં) રોઝો નહીં રાખ્યો.” (સુનને તિર્મિઝી)

(૬) અરફાનાં દિવસે વધારે પ્રમાણમાં નીચે આપેલી દુઅ પઢોઃ

لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ ‏قَدِيْرٌ

અલ્લાહ તઆલાનાં અલાવા કોઈ માબૂદ નથી. તેવણ એકલા છે. તેમનો કોઈ શરીક નથી. તેમનાં માટેજ (બઘા જહાનની) બાદશાહત છે અને તેમના માટેજ (બઘી) તારીફ છે. તેમનાં હાથમાં ભલાઈ છે અને તેવણ દરેક વસ્તુ પર કાદિર છે.

(૭) અરફાનો દિવસે ખૂબ દુઆ કરો. આ દિવસ મુબારક દિવસ છે, આ દિવસ ઝિલ હિજ્જહનાં બીજા દસ દિવસોથી  પણ અફઝલ છે.

હઝરત અલી (રદિ.) થી મનકૂલ છે કે અલ્લાહ તઆલા અરફાનાં દિવસે બીજા દિવસોનાં મુકાબલામાં સૌથી વધારે લોકોને જહન્નમથી આઝાદ કરે છે.

હઝરત અલી (રદિ.) અરફાનાં દિવસે નીચે આપેલ દુઆ માંગતા હતા અને પોતાનાં સાથિયોને પણ આ દુઆને પઢવાની તરગીબ (પ્રોત્સાહન) આપતા હતાઃ

اَللّٰهُمَّ أَعْتِقْ رَقَبَتِيْ مِنَ النَّارِ وَأَوْسِعْ لِيْ مِنَ الرِّزْقِ الْحَلالِ وَاصْرِفْ عَنِّيْ فَسَقَةَ الْجِنِّ ‏وَالْإِنْسِ

હે અલ્લાહ ! મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ ફરમાવી દો અને હલાલ રોઝને મારા માટે ફરાખ અને કુછાદા ફરમાવી દો અને ખરાબ જીન્ન અને ખરાબ ઈન્સાનોને મારાથી દૂર ફરમાવી દો.

(૮) હાજીને જોઈએ કે નવમી ઝિલ હિજ્જહનાં અરફામાં વુકૂફનાં દરમિયાન સૌ વખત નીચે આપેલા કલિમાત પઢોઃ

 إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ ‏قَدِيْرٌ

અલ્લાહ તઆલાનાં અલાવા કોઈ માબૂદ નથી. તેવણ એકલા છે. તેમનો કોઈ શરીક નથી. તેમનાં માટેજ (બઘા જહાનની) બાદશાહત છે અને તેમના માટેજ (બઘી) તારીફ છે અને તેવણ દરેક વસ્તુ પર કાદિર છે.

પછી સો (૧૦૦) વખત સુરએ ઈખલાસ પઢો. ત્યાર બાદ સો વખત નીચે આપલુ દુરૂદ પઢોઃ

اَللَٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَآلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ وَعَليْنَا ‏مَعَهُمْ

હે અલ્લાહ ! દુરૂદ (પોતાની ખાસ રહમત) મોકલ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર જેવી રીતે તુએ દુરૂદ (પોતાની ખાસ રહમત) મોકલ્યુ હઝરત ઈબ્રાહીમ (અલૈ) પર અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.)ની ઔલાદ પર. બેશક આપ તારીફનાં કાબિલ અને બુઝુર્ગો બરતર છે. અને તેમની સાથે અમારા પર પણ (રહમત) નાઝિલ ફરમાવ.

હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે પણ મુસલમાન (હાજી) અરફાનાં દિવસે ઝવાલ પછી અરફાતનાં મૈદાનમાં માં કિબ્લા રૂખ થઈને વુકૂફ કરે અને ઉપર જણાવેલ અઝકાર પઢે, તો અલ્લાહ તઆલા ફરિશ્તાવો તેનાં બારામાં ફરમાવે છે કે

“હે મારા ફરિશ્તાવો ! મારા તે બંદાનો શું બદલો છે જેણે મારી તસ્બીહ કરી અને મારી વહદાનિયત (એકતા)ની ગવાહી આપી અને મારી મોટાઈ અને મહાનતા બયાન કરી, મને ઓળખ્યો, મારી તારીફ કરી અને મારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલ્યુ. હે મારા ફરિશ્તાવો ! તમે ગવાહ રહો કે મેં તેને બખશી દીઘો અને તેને શફાઅતનો શર્ફ અતા કર્યો. જો મારો આ બંદો આ બઘા અહલે મોકિફ (અરફાત વાળો) નાં માટે સિફારિશ કરતે, તો હું તેની સિફારિશ કબૂલ કરીશ.”

(૯) જે લોકોનો કુર્બાની કરવાનો ઈરાદો હોય તેઓનાં માટે મુસ્તહબ છે કે તેઓ ઝિલ હિજ્જહનાં શરૂઆતથી લઈને કુર્બાનીનાં જાનવરનાં ઝબહ થવા સુઘી પોતાનાં વાળ અને નખને ન કાપે.

હઝરત ઉમ્મે સલમા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસનો કુર્બાની કરવાનો ઈરાદો હોય, તો જ્યારે ઝિલ હિજ્જહનો પેહલો ચાંદ દેખાય, તો તેને જોઈએ કે તે પોતાનાં નખ અને વાળ ન કાપે અહિંયા સુઘી કે તે પોતાની કુર્બાનીનું જાનવર ઝબહ કરે.

(૧૦) મર્દ અને ઔરત નવમી ઝિલ હિજ્જહની ફજરથી તેરમી ઝિલ હિજ્જહની અસર સુઘી તકબીરે તશરીક પઢે. મર્દ  અવાજથી પઢે અને ઔરત આહિસ્તા પઢે. 

તકબીરે તશરીક આ છેઃ

اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ لَا إِلٰهَ إِلَّا اللهُ اَللهُ أَكْبَرْ اَللهُ أَكْبَرْ وَلِلّٰهِ الْحَمْدْ

અલ્લાહ તઆલા સૌથી મોટા છે. અલ્લાહ તઆલા સૌથી મોટા છે. અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ નથી. અલ્લાહ તઆલા સૌથી મોટા છે. અલ્લાહ તઆલા સૌથી મોટા છે. અને અલ્લાહ તઆલાનાં માટેજ તારીફ (પ્રશંસા) છે.

 હઝરત અલી (રદિ.) નાં બારામાં મનકૂલ છે કે “તે અરફાનાં દિવસે (નવમી ઝિલ હિજ્જહ) ની ફજરથી તશરીકનાં દિવસોમાંથી અંતિમ દિવસે (તેરમી ઝિલ હિજ્જહ) ની અસર સુઘી તકબીરે તશરીક પઢતા હતા.”

(૧૧) ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોમાં વધારે પ્રમાણમાં નીચે આપેલા કલિમાત પઢોઃ

سُبْحَانَ اللهِ اَلْحَمْدُ لِلّٰهِ لَا إِلٰهَ إِلَّا اللهُ اَللهُ أَكْبَرْ

અલ્લાહની ઝાત પાક છે. સઘળી તારીફો અલ્લાહ તઆલાનાં માટે છે. અલ્લાહ તઆલાનાં વગર કોઈ માબૂદ નથી. અલ્લાહ તઆલા સૌથી મોટા છે.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે નથી કોઈ દિવસ (વર્ષનાં દિવસોમાં) જેમાં અલ્લાહ તઆલાની ઈબાદત વધારે અઝીમ હોય અને અલ્લાહ તઆલાને વધારે પસંદ હોય, ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોથી, તેથી (આ દિવસોમાં) તસ્બીહ, તહમીદ, તહલીલ અને તકબીર પઢવામાં વધારો કરો.

(૧૨) જો તમારા પર કુર્બાની વાજીબ હોય, તો કુર્બાની જરૂર કરો.

હઝરત આંયશા (રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કુર્બાની નાં દિવસોમાં અલ્લાહ તઆલાનાં નજદીક લોહી વહાવા (એટલે કુર્બાનીનું જાનવર ઝબહ કરવા) થી વધારે કોઈ અમલ પસંદીદા નથી. કુર્બાનીનું જાનવર કયામતનાં દિવસે પોતાનાં સિંગડાવો, વાળો અને ખુરોની સાથે આવશે (જેથી કે અલનાં વજન કાંટા પર વજન કરવામાં આવે) કુર્બાની અલ્લાહ તઆલાને ત્યાં પહોંચે છે (એટલે મકબૂલ થાય છે) તેનાં પેહલા કે તેનું લોહી જમીન પર પડી જાય. તેથી કુર્બાની ખુશ દીલીથી કર્યા કરો.”


[૧] صحيح البخاري، الرقم: ۹٦۹

[૨] ويستحب صوم تسعة أيام من أول ذي الحجة كذا في السراج الوهاج (الفتاوى الهندية ۱/۲٠۱)

[૩] سنن الترمذي، الرقم: ۷۵۸، وقال: هذا حديث غريب

[૪] سنن النسائي، الرقم: ۲٤۱٦، صحيح ابن حبان، الرقم: ٦٤۲۲

[૫] تاريخ ابن عساكر ٤۳/۹۳، وقد ذكره المنذري في الترغيب والترهيب، الرقم: ۱٦۵٦، بلفظة “عن”، إشارة إلى كونه صحيحا أو حسنا أو ما قاربهما عنده كما بين أصله في مقدمة كتابه ۱/۵٠

[૬] وأما صوم يوم عرفة ففي حق غير الحاج مستحب لكثرة الأحاديث الواردة بالندب إلى صومه ولأن له فضيلة على غيره من الأيام (بدائع الصنائع ۲/۷۹)

[૭] صحيح ابن حبان، الرقم: ۳٦۳۱

[૮] سنن الترمذي، الرقم: ۷۵٠، وقال: هذا حديث حسن

[૯] مسند أحمد، الرقم: ۷٠۸٠، و قال العلامة الهيثمي رحمه الله في مجمع الزوائد، الرقم: ۵۵۵٠، رواه أحمد ورجاله موثقون

[૧૦] ومنها كثرة الدعاء بالمغفرة والعتق فإنه يرجى إجابة الدعاء فيه روى ابن أبي الدنيا بإسناده عن علي قال ليس في الأرض يوم إلا لله فيه عتقاء من النار وليس يوم أكثر فيه عتقا للرقاب من يوم عرفة فأكثر فيه أن تقول: اللهم أعتق رقبتي من النار وأوسع لي من الرزق الحلال واصرف عني فسقة الجن والإنس فإنه عامة دعائي اليوم (لطائف المعارف صـ ۲۸٤)

[૧૧] شعب الإيمان، الرقم: ۳۷۸٠، وقال: هذا متن غريب وليس في إسناده من ينسب إلى الوضع والله أعلم

[૧૨] قال في شرح المنية وفي المضمرات عن ابن المبارك في تقليم الأظفار وحلق الرأس في العشر أي عشر ذي الحجة قال لا تؤخر السنة وقد ورد ذلك ولا يجب التأخير اهـ ومما ورد في صحيح مسلم قال رسول الله صلى الله عليه وسلم إذا دخل العشر وأراد بعضكم أن يضحي فلا يأخذن شعرا ولا يقلمن ظفرا فهذا محمول على الندب دون الوجوب بالإجماع فظهر قوله ولا يجب التأخير إلا أن نفي الوجوب لا ينافي الاستحباب فيكون مستحبا إلا إن استلزم الزيادة على وقت إباحة التأخير ونهايته ما دون الأربعين فلا يباح فوقها (رد المحتار ۲\۱۸۱)

[૧૩] صحيح مسلم، الرقم: ۱۹۷۷

[૧૪] (وقالا بوجوبه فور كل فرض مطلقا) ولو منفردا أو مسافرا أو امرأة لأنه تبع للمكتوبة (إلى) عصر اليوم الخامس (آخر أيام التشريق وعليه الاعتماد) والعمل والفتوى في عامة الأمصار وكافة الأعصار ولا بأس به عقب العيد لأن المسلمين توارثوه فوجب اتباعهم وعليه البلخيون ولا يمنع العامة من التكبير في الأسواق في الأيام العشر وبه نأخذ بحر ومجتبى وغيره (الدر المختار ۲/۱۸٠)

ابتداء وانتهاء التكبير وتكبير التشريق أوله بعد فجر يوم عرفة وآخره بعد عصر يوم النحر (تحفة الملوك صــ ۹۵)

والمرأة تخافت بالتكبير لأن صوتها عورة (تبيين الحقائق ۱/۲۲۷)

[૧૫] كتاب الآثار للإمام محمد، الرقم: ۲٠۸

[૧૬] المعجم الكبير للطبراني، الرقم: ۱۱۱۱٦، وقال العلامة الهيثمي رحمه الله في مجمع الزوائد، الرقم: ۵۹۳۲: قلت: هو في الصحيح باختصار التسبيح وغيره رواه الطبراني في الكبير ورجاله رجال الصحيح

[૧૭] والأضحية واجبة في قول أبي حنيفة وأصحابه على الموسر المقيم في المصر وعلى غيره ليست بواجبة (النتف ۱/۲۳۹)

[૧૮] سنن الترمذي، الرقم: ۱٤۹۳، وقال: حديث حسن غريب لا نعرفه من حديث هشام بن عروة إلا من هذا الوجه

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...