
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“અમારૂં કામ દીનનું બુનિયાદી કામ છે અને અમારી તહરીક હકીકતમાં તો ઈમાનની તહરીક છએ. આજકાલ સર્વસાઘારણ રીતે જે સામૂહિક અને સંસ્થાકિય એવાં સામાજીક કામો થાય છે તેના કાર્યકર્તાઓ ઈમાનરૂપી પાયાને પાકો સમજીને તેના ઉપરની તઅમીરનું કામ કરી રહ્યા છે અને ઉપરનાં બાંઘકામને જરૂરી સમજે છે અને અમારી દ્રષ્ટિએ ઉમ્મતની સર્વપ્રથમ જરૂરત આ જ છે કે દરેકના દિલમાં પહેલાં ઈમાનની રોશની પહોંચી જાય.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૬૧)
Source: https://ihyaauddeen.co.za/?p=10242
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી