રૌઝ-એ-અકદસની ઝિયારતની ફઝીલત

‎‎عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني ‏والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ: من حج فزار قبري بعد موتي كان كمن زارني في ‏حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۹۷)‏‏‏

હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું: જે મારી વફાત પછી મારી કબરની ઝિયારત કરે, તે એવો છે જાણેકે તેણે મારા જીંદગીમાં મારી ઝિયારત કરી.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશી

ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ પોતાની દુઆની કિતાબમાં બયાન કર્યું છે કે તેમને એક વખત ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝિયારતનો શરફ હાસિલ થયો. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો દેખાવ હૂબહૂ તેવો જ હતો જે મુબારક-હદીસોમાં જણાવવામાં આવ્યો છે.

ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને સલામ કર્યુ અને કહ્યું: હે અલ્લાહ તઆલાના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ! અલ્લાહ ત’આલાએ મારા દિલમાં અમૂક કલિમાત નાંખ્યા છે, શું હું તેને આપની સામે પેશ કરૂં? નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તે કલિમાત શું છે? ઈમામ તબરાની રહ઼િમહુલ્લાહ એ જવાબ આપ્યોઃ

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ حَمِدَكَ وَلَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ لَمْ يَحْمَدْكَ وَلَكَ الْحَمْدُ كَمَا ‏تُحِبُّ أَنْ تُحْمَدَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ صَلَٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ ‏مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ أَنْ يُصَلّٰى عَلَيْهِ

હે અલ્લાહ! આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાના બરાબર જેઓએ આપની તારીફ કરી અને આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાના બરાબર જેઓએ આપની તારીફ નથી કરી અને આપના માટે જ તારીફ છે જેવી રીતે તમે પોતાની તારીફ પસંદ ફરમાવો છો. હે અલ્લાહ! મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો તે લોકોની સંખ્યાનાં બરાબર જેઓએ તેમના પર દુરૂદ મોકલ્યુ અને મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો તે લોકોની સંખ્યાનાં બરાબર જેઓએ તેમના પર દુરૂદ ન મોકલ્યુ અને મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેવી રીતે તમે એમના પર દુરૂદ મોકલવાનું પસંદ ફરમાવો છો.

‍‍‍અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હમ્દો-સના (તારીફ) અને દુૃરૂદ-શરીફના આ શાનદાર કલિમાતને સાંભળીને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ઘણાં વધારે ખુશ થયા અને એટલા હસ્યા કે સામેના મુબારક દાંત દેખાતા થઈ ગયા અને તેના દરમિયાન રોશની નજર આવવા લાગી. (અલ-કવલુલ બદી- પેજ નં-૧૩૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

જુમ્મા ના દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત

સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત...