હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) નો વિશેષ દુરૂદ‎

عن ابن عباس أنه كان يقول: اللهم تقبل شفاعة محمد الكبرى وارفع درجته العليا وآته سؤله في الآخرة والأولى كما آتيت إبراهيم وموسى (مصنف ‏عبد الرزاق، الرقم: ۳۱٠٤، وإسناده جيد قوي صحيح كما في القول البديع صـ ۱۲۲)‏

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) આ દુરૂદ પઢતા હતાઃ

اَللّٰهُمَّ تَقَبَّلْ شَفَاعَةَ مُحَمَّدٍ الْكُبْرٰى وَارْفَعْ دَرَجَتَهُ الْعُلْيَا وَآتِهِ سُؤْلَهُ فِيْ الْآخِرَةِ وَالْأُوْلٰى كَمَا آتَيْتَ إِبْرَاهِيْمَ وَمُوْسٰى

હે અલ્લાહ ! મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતે કુબરા કબૂલ ફરમાવ (એટલે કયામતના દિવસે શફાઅતે કુબરાનો મકામ આપજો) અને તેમનો દરજો ઘણો ઊંચો ફરમાવ અન દુનિયા અને આખિરતમાં તેમની આરઝુ પૂરી ફરમાવ, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને મૂસા (અલૈ.) ને અતા ફરમાવી છે (અને આ બન્નેવ નબિયોની આરઝૂ પૂરી ફરમાવી)..

દુરૂદ શરીફ લખવાની બરકતથી ગુનાહોની બખશિશ

હઝરત ઈબ્ને અબી સુલૈમાન (રહ.) કહે છે કે મેં મારા વાલિદ સાહબને ઈન્તેકાલ પછી સપનામાં જોયા. મેં એમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ આપની સાથે શું મામલો ફરમાવ્યો? તેવણે ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી. મેં પૂછ્યુઃ કયા અમલનાં કારણે? તેવણે ફરમાવ્યુ દરેક હદીષમાં હું હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ લખ્યા કરતો હતો. (અલ અખલાકુલઝ ઝકિય્યા)

હઝરત રસૂલે કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) ની મુહબ્બતમાં મુવાફકત (અનુકૂલન)

એક વખત હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અરજ કર્યુ કે મને એ વાતની ખુશી છે કે મારા વાલિદે(પિતાશ્રી) ઈસ્લામ કબૂલ કર્યુ, પરંતુ તમારા ચાચા(કાકા) અબુ તાલિબ અગર ઈસ્લામ કબૂલ કરતે, તો હું પોતાનાં વાલિદ (પિતાશ્રી)નાં ઈસ્લામ લાવવાની ખુશીથી પણ વધારે ખુશ થતે, કારણકે જો આપનાં ચાચા(કાકા) ઈસ્લામ કબૂલ કરતે, તો આપને અનંત ખુશી થતે. (મુસ્નદે બઝ્ઝાર, અલ ઈસાબહ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...