તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ

عن عبد الله بن مسعود رضي الله عنه قال: يضحك الله إلى رجلين رجل لقي العدو وهو على فرس من أمثل خيل أصحابه فانهزموا وثبت فإن قتل استشهد وان بقي فذلك الذي يضحك الله إليه ورجل قام في جوف الليل لا يعلم به أحد فتوضأ فأسبغ الوضوء ثم حمد الله ومجده وصلى على النبي صلى الله عليه وسلم واستفتح القرآن فذلك الذي يضحك الله إليه يقول انظروا إلى عبدى قائما لا يراه أحد غيري (عمل اليوم والليلة للنسائي ، الرقم: 867، وسنده صحيح كما في القول البديع صـ 376)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ રદિ અલ્લાહુ ‘અન્હૂ ફરમાવે છે કે અલ્લાહ ત’આલા બે માણસોથી ખુશ થાય છેઃ એક માણસ તે છે જે પોતાનાં સાથીયોની સાથે મળીને સૌથી ઉમદા ઘોડા પર સવાર થઈને દુશ્મનોથી મુકાબલો કરે, અને તેનાં બધા સાથી હારી જાય, પણ તે અડગ રહે, અને લડતો રહે, પછી જો તેને કતલ કરી નાંખવામાં આવેે, તો તે શહાદતથી સન્માનિત થઈ જાય છે અને જો તે જીવતો રહે, તો તે તેજ માણસ છે, જેનાંથી અલ્લાહ ત’આલા ખુશ થાય છે અને બીજો માણસ તે છે જે રાતનાં અલ્લાહ ત’આલાની સામે (તહજ્જુદની નમાઝ માટે) ઉભો થાય છે, કોઈને પણ તેનાં વિશે ખબર નથી થતી. પછી તે સારી રીતે વુઝૂ કરીને અલ્લાહ ત’આલાની હમ્દો ષના અને પાકી બયાન કરે, અને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ પર દુરૂદ મોકલે છે, પછી તે કુર્આને કરીમની તિલાવત કરે. આજ તે વ્યક્તિ છે જેનાંથી અલ્લાહ ત’આલા ખુશ થાય છે અને ફરમાવે છેઃ મારા બંદાને જોવો, મારી સામે ઊભો છે (નમાઝ પઢી રહ્યો છે) અને મારા વગર કોઈ પણ તેને જોઈ રહ્યુ નથી.

પત્થરનું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સલામ કરવુ

હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું. (મુસ્લીમ શરીફ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...