ફર્ઝ નમાઝો પછી દુરૂદ શરીફ પઢવુ

عن أبي أمامة عن النبي صلى الله عليه وسلم قال: من دعا بهؤلاء الدعوات في دبر كل صلاة مكتوبة حلت له ‏الشفاعة مني يوم القيامة اللهم أعط محمدا الوسيلة واجعله في المصطفين محبته، وفي العالين درجته وفي المقربين ‏داره (المعجم الكبير للطبراني، الرقم: ۷۹۲٦، وفيه مطرح بن يزيد وهو ضعيف كما في مجمع الزوائد، الرقم: ۱٦۹۸۱، وقد تحرفت كلمة العالين إلى العالمين في ‏المعجم الكبير ومجمع الزوائد كما نبه عليه الشيخ محمد عوامة في حاشيته على القول البديع صـ ۳٦۳)‏

હઝરત અબૂ ઉમામહ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી (નિમ્નલિખિત) શબ્દો થી દુઆ કરશે, તે કયામતનાં દિવસે મારી શફાઅતનો હકદાર થશેઃ

اَللّٰهُمَّ أَعْطِ مُحَمَّدًا الْوَسِيْلَةَ وَاجْعَلْهُ فِيْ الْمُصْطَفَيْنَ مَحَبَّتَهُ وَفِيْ الْعَالِيْنَ دَرَجَتَهُ وَفِيْ الْمُقَرَّبِيْنَ دَارَهُ

હે અલ્લાહ ! મુહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને (મુકામે) વસીલા અર્પણ ફરમાવજો અને બરગુઝીદા (પસંદીદા) લોકોનાં દિલોમાં તેમની મુહબ્બત નાંખી દો અને ઉચ્ચ મર્તબો (સ્થાન) લોકોમાં તેમને શામિલ ફરમાવો અને મુકર્રબ બંદાઓની સાથે તેમનુ ઠેકાણું બનાવજો.

હઝરત અનસ બિન નઝ઼ર રદિ અલ્લાહુ ‘અન્હૂ નાં દિલમાં રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની મોહબ્બત અને ગઝવ-એ-ઉહુદમાં તેમની શહાદત

ગઝવ-એ-ઉહુદમાં જ્યારે મુસલમાન હાર તરફ જઈ રહ્યા હતા, તો તે દરમિયાન આ ખબર ફરવા લાગી કે હઝરત રસૂલ-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને શહીદ કરી દેવામાં આવ્યા છે. આ ખબર સાંભળીને ઘણાં બઘા સહાબા-એ-કીરામ રદિ અલ્લાહુ ‘અન્હુમ નાં દિલો પર માયૂસી છવાઈ ગઈ અને તેઓ ઘણાં ગમગીન થઈ ગયા.

હઝરત અનસ બિન નઝ઼ર રદિ અલ્લાહુ ‘અન્હૂ એ હઝરત ઉમર રદિ અલ્લાહુ ‘અન્હૂ અને હઝરત તલ્હા રદિ અલ્લાહુ ‘અન્હૂ ને સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ અન્હુમ ની એક જમાઅતની સાથે ઘણાં ગમગીન, દુઃખમાં અને માયૂસીનાં આલમમાં જોયા, તો તેમણે તેઓને સવાલ કર્યો કે આખિરકાર તમે બઘા રંજીદા અને માયૂસ કેમ દેખાઈ રહ્યા છો? સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ ‘અન્હુમે જવાબ આપ્યોઃ રસૂલે ખુદા સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને શહીદ કરી દેવામાં આવ્યા છે.

તરતજ હઝરત અનસ બિન નઝ઼ર રદિ અલ્લાહુ ‘અન્હૂ ની ચીખ નીકળી ગઈ. અને કહ્યુઃ એમના પછી કોને જીવતા રેહવાનુ પસંદ છે ? આઓ, આપણે પોતાની તલવારોને લઈને અગાળી વધીએ અને આપણા મહબૂબ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની સાથે જઈ મળીયે. ત્યાર પછી તેમણે તરતજ પોતાની તલવાર લીઘી અને દુશ્મનોની સફોમાં કુદી પડ્યા અને ઘણી બહાદુરીની સાથે લળતા રહ્યા અહિંયા સુઘી કે શહીદ થઈ ગયા. (دلاءل النبوة)

હઝરત અનસ બિન નઝ઼ર રદિ અલ્લાહુ ‘અન્હૂ નાં દિલમાં રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ની એટલી બઘી મોહબ્બત હતી કે તેમણે પોતાને રસુલ-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ વગર આ દુનિયામાં રેહવાનાં કાબિલ ન સમજ્યા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...