ઈમાનની હિફાઝત બુઝુર્ગાને દીનની સંગત પર નિર્ભર છે

હઝરત મૌલાન અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આ ઝમાનો ઘણા ફિતનાઓથી ભરેલો છે. આમાં તો ઈમાન નાં પણ ફાંફા પડે છે. એજ કારણે  મેં બુઝુર્ગાને દીનની સંગતને ફર્ઝે ઐન(ઘણું જરૂરી) નિશ્રય કર્યો છે. હું તો ફતવો આપું છું કે બુઝુર્ગોની સંગત આ ઝમાનામાં ફર્ઝે ઐન(ઘણું જરૂરી) છે અને તેમાં શંકા શું હોઈ શકે છે એટલા માટે કે જે વસ્તુ પર અનુભવ થી દીનની હિફાઝત, ઈમાન ની હિફાઝત નિર્ભર છે તેનાં ફર્ઝ થવામાં શું શંકાની જગ્યા છે?” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ-૭, પેજ નં- ૧૦૭)

Source: https://ihyaauddeen.co.za/?p=8501


 

Check Also

ઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: “મારી ખૂબ એહતિમામ સાથે …