عن ابي كاهل رضي الله عنه قال: قال لي رسول الله صلى الله عليه وسلم: يا ابا كاهل! من صلى علي كل يوم ثلاث مرات وكل ليلة ثلاث مرات حبا وشوقا الي كان حقا على الله أن يغفر له ذنوبه تلك الليلة وذلك اليوم (الترغيب والترهيب، الرقم: ۲۵۸٠)
હઝરત અબૂ કાહિલ રદિ. થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ઈરશાદ ફરમાવ્યુ કે હે અબુ કાહિલ! જે માણસ મારા ઊપર મારી મુહબ્બત અને મારા ઈશ્તિયાક (અત્યધિક શોખ, લાલસા) માં દરરોજ ત્રણ વખત અને દરેક રાતનાં ત્રણ વખત દુરૂદ મોકલે છે, તો અલ્લાહ તઆલા તે રાતનાં તેનાં તે દિવસનાં તેનાં ગુનાહોની મગફિરતને પોતાનાં ઉપર લાઝિમ કરી લે છે(અલ્લાહ તઆલા તે માણસનાં તે દિવસનાં અને તે રાતનાં ગુનાંહોને જરૂર માફ ફરમાવી દે છે).
તકલીફની હાલતમાં દુરૂદ શરીફ પઢવુ
અબ્દુર્રહીમ બિન અબ્દુર્રહમાન બિન અહમદે કહ્યુ કે હું હમ્મામ(બાથરૂમ)માં પડી ગયો હતો, જેનાંથી મારા હાથમાં લાગ્યુ હતુ અને સોજો પણ આવી ગયો હતો. રાતનાં મને ઘણી તકલીફ રહી મેં હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સપનાં માં જોયા. મેં અરજ કર્યુ યા રસૂલુલ્લાહ! હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે હે મારા બેટા! તારા દર્દે મને વહશત(ગભરાટ)માં નાંખી દીધો. સવારનાં તે બઘો સોજો જતો રહ્યો અને હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બરકત થી તે તકલીફ પણ જતી રહી.
દુરૂદ શરીફ હિફાઝત ના માટે
મુસા ઝરીર (રહ.) એક નેક સાલેહ બુઝુર્ગ હતા. એવણે એમના ભૂતકાળનાં દિવસોની એક ઘટના(કિસ્સો) મને વર્ણવી (નકલ કર્યો) કે એક જહાઝ ડૂબવા લાગ્યુ અને હું એમા મૌજૂદ હતો. તે સમયે મને ગુનૂદગી (ઊંઘ જેવી લાગી) જેવુ થયુ, તે હાલતમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને આ દુરૂદ તાલીમ ફરમાવી ઈરશાદ ફરમાવ્યુ કે જહાઝવાળા આ દુરૂદને એક હઝાર વાર પઢો. હજી ત્રણસો વાર સુઘી પહોંચ્યા હતા કે જહાઝ ડુબવાથી બચી ગયુ. આ દુરૂદ શરીફ ની બરકત હતી જે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સપનામાં સિખવ્યુ હતું. તે દુરૂદ આ છેઃ
أّللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَوةً تُنْجِينَا بِهَا مِن جَمِيعِ الْأَهْوَالِ وَالْآفَاتِ وَتَقْضِي لَنَا بِهَا جَمِيعَ الحَاجَاتِ وَتُطَهِّرُنَا بِهَا مِن جَمِيعِ السَّيِئَاتِ وَتَرْفَعُنَا بِهَا أَعْلَى الدَّرَجَاتِ وَتُبَلِّغُنَا بِهَا أَقْصَى الغَايَاتِ مِن جَمِيعِ الخَيرَاتِ فِي الحَيَوةِ وَبَعدَ الممَات (اِنَّكَ عَلَى كُلِّ شَيئٍ قَدِيرٌ)
એ અલ્લાહ ! અમારા પ્યારા અને મહબૂબ મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એવી રહમત નાઝિલ ફરમાવ, જે અમારા માટે દરેક મુસીબતોં અને પરેશાનિયોં થી હિફાઝતનો ઝરીઓ હોય, જેનાથી અમારી જરૂરતો પૂરી થાય, જેનાથી અમે બઘા દરેક ગુનાહોથી પાક સાફ થઈ જાય, જેની બરકતથી અમે ઉચ્ચ કોટીનું સ્થાન નસીબ થાય (આખિરતમાં) અને જેના ઝરીએ અમે ઝિંદગી અને મૃત્યુ પછી દરેક ભલાઈઓનાં ઊંચા અને અંતિમ સ્થાન પર પહોંચી જાય. બેશક, તું દરેક વસ્તુ પર કાદીર છે.
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/576-reserving-a-special-time-for-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=5969