મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في يوم الجمعة ألف مرة لم يمت حتى يرى مقعده من الجنة (أخرجه ابن شاهين بسند ضعيف كذا في القول البديع صـ 397)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઈરશાદ છે કે જે માણસ જુમ્આનાં દિવસે મારા ઉપર એક હઝાર વાર દુરૂદ મોકલે છે, તેને તે સમય સુઘી મૌત નહી આવશે, જ્યાં સુઘી કે તે જન્નતમાં પોતાનું ઠેકાણું ન જોઈ લે.

દુરૂદ શરીફની કષરત (વિપુલતા) નાં કારણે નજાત

એક માણસે અબુ હફ્સ કાગઝી (રહ.) ને (જે એક ઘણો નેક માણસ હતો) તેમની વફાત પછી સપનાં માં જોયા, તો તેમને સવાલ કર્યો કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો? તેવણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ ફરમાવ્યો, મારી મગફિરત ફરમાવી દીઘી અને મને જન્નતમાં દાખલ ફરમાવી દીઘો. તેમને પુછવામાં આવ્યુ કે કયા અમલનાં કારણે આ મર્તબો હાસિલ થયો? તેમણે જવાબ આપ્યો કે જ્યારે હું અલ્લાહ તઆલાની સમક્ષ(સામે) ઊભો થયો, તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને હુકમ આપ્યો કે તે મારા આમાલ (કાર્યો) ને ગણે. ફરિશ્તાઓ એ મારા ગુનાહોને ગણ્યા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર મારા મોકલેલા દુરૂદ ને ગણ્યા, તો તેઓને દુરૂદની તાદાદ (સંખ્યા) ગુનાહોથી વધારે મળી. તો અલ્લાહ તઆલાએ તેઓને ફરમાવ્યુઃ એ મારા ફરિશ્તાઓ! બસ આટલુ કાફી છે. હવે તેનો હિસાબ ન લેવો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.

ઝાડનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને સલામ કરવું

હઝરત યઅલા બિન મુર્રા સકફી રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે:

એક વખત અમે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે સફર કરી રહ્યા હતા. સફરના દરમિયાન અમે એક જગ્યાએ રોકાયા. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તે જગ્યાએ આરામ ફરમાવા લાગ્યા.

થોડી વાર પછી એક ઝાડ જમીન ને ચીરતુ ચીરતુ આવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને પોતાના છાયડાથી ઢાંકી લીઘા, પછી તે પોતાની જગ્યા પર ચાલી ગયુ.

જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ જાગ્યા, તો મેં આ ચોંકાવનાર વાકિયો બયાન કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે તે ઝાડે અલ્લાહ તઆલાથી ઈજાઝત માંગી હતી જેથી તે મારી પાસે આવીને સલામ કરે, તો અલ્લાહ તઆલાએ તેને ઈજાઝત આપી (કે તે મારી પાસે આવે અને સલામ કરે). (મુસ્નદે-અહ઼મદ)

Source: http://whatisislam.co.za/index.php/durood/item/569-salvation-through-the-abundant-recitation-of-durood

http://ihyaauddeen.co.za/?p=4047

Check Also

જન્નતમાં દાખલ કરવા વાળા અમલ ને છોડવુ

عن حسين بن علي رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم...