
આપણે આપણી જિંદગીમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાનો નો જાયઝો લઈએ, તો આપણી જાણમાં આવશે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાન આપણા પર એટલા બધા વધારે છે કે આપણા પર વાજિબ છે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો શુક્રિયા અદા કરીએ. હકીકત એ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો મકામ અને મર્તબો એટલો બુલંદ છે કે આપના જ લીધે આખી કાયનાત વુજૂદમાં (અસ્તિત્વમાં) આવી.
શાયરે શું ખૂબ કહ્યું છે:
السلام اے سید اولاد آدم السلام
(સલામ હો તમારા પર એ બની-આદમના સરદાર! સલામ હો)
السلام اے باعث ایجاد عالم السلام
(સલામ હો તમારા પર એ કાયનાતના વુજૂદના ઝરીયા! સલામ હો)
આપણને કુરઆને-મજીદની દૌલત હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળી. આપણને નમાઝ, રોઝા, ઝકાત અને હજનો તોહફો નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળ્યો. દર-હકીકત આપણને પૂરો દીન નબી પાક સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે પહોંચ્યો અને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે જ આપણું કનેક્શન આપણા ખાલિક (સર્જનહાર/પેદા કરનાર) અલ્લાહ ત’આલા સાથે જોડ્યું.
ગર્ઝ એ કે દુનિયા અને આખિરતમાં દરેક દીની નેમત (ભલાઈ) જે આપણને અલ્લાહ ત’આલા તરફથી મળી, આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ જ એનો સબબ અને ઝરીયો છે; તેથી તમામ ઇન્સાનમાંથી હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો આપણા પર સૌથી વધારે છે.
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકોમાંથી નીચે આપેલા ચાર હકો આપણા પર વાજિબ છે:
૧. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે “મોહબ્બત” કરવી
૨. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર “ઈમાન” લાવવું
૩. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની “ઇતાઅત” (ફરમાબરદારી/કહ્યું માનવું) કરવી
૪. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર “દરૂદ અને સલામ” મોકલવા
જો કોઈ શખ્સ આ ચારેય હકોને પૂરા એહતિમામ સાથે અદા કરે, તો ઇન્શાઅલ્લાહ નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો હક અદા કરવા વાળો, અને આપના એ એહસાનાતનો શુક્રિયા અદા કરવા વાળો માનવામાં આવશે જે એને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના ઝરીયે મળ્યા; અને ઇન્શાઅલ્લાહ એવા માણસને હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો અદા કરવા વાળો કહેવામાં આવશે.
મોહબ્બતનો ફરીઝો
પહેલો ફરીઝો એ છે કે આપણે પોતાના દિલમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સાચી મોહબ્બત પેદા કરીએ.
એક હદીસ શરીફમાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે માણસનો ઈમાન ત્યાં સુધી મુકમ્મલ નથી થઈ શકતો, જ્યાં સુધી કે હું એના દિલમાં એની પોતાની જાન, મા-બાપ, ઓલાદ અને તમામ લોકોથી પણ વધારે મહબૂબ ન થઈ જાઉં (એટલે કે મારી મોહબ્બત એના દિલમાં એના મા-બાપ, ઓલાદ અને તમામ લોકોની મોહબ્બતથી વધારે થઈ જાય). (સહીહ બુખારી: ૧૫)
એક વખત હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને કહ્યું: “એ અલ્લાહના રસૂલ! હું તમારાથી મારી જાન સિવાય તમામ ચીજો (અને લોકો)થી વધારે મોહબ્બત કરું છું.” હઝરત સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને ફરમાવ્યું:
“નહીં, એ ઝાતની કસમ જેના હાથમાં મારી જાન છે! (તમે ત્યાં સુધી કામિલ મોમિન નથી થઈ શકતા) જ્યાં સુધી કે તમે મારાથી પોતાની જાનથી પણ વધારે મોહબ્બત ન કરો.” તે પછી હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અર્ઝ કર્યું: “એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ! હું હવે તમારાથી દરેક ચીજથી વધારે મોહબ્બત કરું છું, અહીં સુધી કે પોતાના જાતથી પણ વધારે મોહબ્બત કરું છું.” પછી આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “એ ઉ઼મર! હવે તમારો ઈમાન કામિલ (મુકમ્મલ) છે.” (સહીહ બુખારી: ૬૬૩૨)
જ્યાં સુધી આપણે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી એટલી વધારે મોહબ્બત ન કરીએ કે દરેક ચીજ પર આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને આપના અહકામને તર્જીહ આપીએ, ત્યાં સુધી આપણે અલ્લાહ ત’આલા સુધી પહોંચવામાં કામયામ નથી થઈ શકતા.
(તર્જીહ = બે કે તેથી વધુ વસ્તુઓ, વ્યક્તિઓ કે વિકલ્પોમાંથી કોઈ એકને બીજા કરતા વધારે એહમિયત આપવું કે તેને પસંદ કરવું)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી