
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું:
બધા સાથીઓ અને કારકુનોને સમજાવી દો કે આ રસ્તામાં બલાઓ અને તકલીફો ખુદા પાસે ક્યારેય ન માંગે. (બંદાએ અલ્લાહ પાસે હંમેશા ‘આફિયત જ માંગવી જોઈએ.) પરંતુ, જો અલ્લાહ પાક આ રસ્તામાં કોઈ મુસીબત કે પરેશાની મોકલી જ દે, તો પછી તેને ખુદાની રહેમત સમજવી જોઈએ, અને ઝરીયા-એ-કફ્ફારા-એ-સય્યિઆત (ગુનાહો માફ થવાનું માધ્યમ) સમજવી જોઈએ. અલ્લાહના દરબારમાં પોતાનો દરજ્જો ઊંચો થવાનો રસ્તો (રફઅતે-દર્જાત) સમજવી જોઈએ.
અલ્લાહના રસ્તામાં આ પ્રકારની મુસીબતો અને તકલીફો તો અંબિયા (પયગંબરો), સિદ્દીકીન (સાચા લોકો) અને મુકર્રબીન (અલ્લાહના નજીકના બંદાઓ)નો ખાસ ખોરાક (ગિઝા) છે.
(મલ્ફૂઝાતે હઝરત મૌલાના ઇલ્યાસ રહમતુલ્લાહ અલૈહ, પેજ નં. ૨૭)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી