દુરુદ-શરીફની બરકતથી નિફાક (દંભ) અને જહન્નમથી છૂટકારો

عن أنس بن مالك قال: قال رسول الله صلى الله عليه وآله وسلم: من صلى علي صلاة واحدة صلى الله عليه عشرا ومن صلى علي عشرا صلى الله عليه مائة ومن صلى علي مائة كتب الله له بين عينيه براءة من النفاق وبراءة من النار وأسكنه الله يوم القيامة مع الشهداء (المعجم الصغير للطبراني، الرقم: ٨٩٩، وقال الهيثمي في  مجمع الزوائد (الرقم: ١٨٢٩٨): رواه الطبراني في الصغير والأوسط وفيه إبراهيم بن سالم بن شبل الهجيمي ولم أعرفه وبقية رجاله ثقات، وقال المنذري في الترغيب والترهيب (الرقم: 2560): وفي إسناده إبراهيم بن سالم بن شبل الهجعي لا أعرفه بجرح ولا عدالة)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે જે માણસ મારા ઉપર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેના ઉપર દસ દુરૂદ (રહમત) મોકલે છે, અને જે મારા ઉપર દસ વખત દુરૂદ મોકલે છે અલ્લાહ તઆલા એના ઉપર સો વખત દુરૂદ (રહમત) મોકલે છે અને જે મારા ઉપર સો વખત દુરૂદ મોકલે છે અલ્લાહ તઆલા તેની આંખોના દરમિયાન નિફાક અને જહન્નમથી આઝાદી લખી દે છે અને તેને કયામતના દિવસે શહીદોનો સંગાત અર્પણ કરવામાં આવશે.

સૂવા પહેલા દુરૂદશરીફ પઢવાનો નિયમ બનાવવો

શૈખ ઇબ્ને હજર મક્કી(રહ.) લખ્યુ છે કે એક નેક મર્દે નિયમ મુકર્રર(નિયુક્ત) કર્યો હતો કે દરેક રાત્રે સૂતા સમયે નિયમિત ગણતરી પ્રમાણે દૂરદ શરીફ પઢ્યા કરતા હતા. એક રાત્રે સપનાંમાં જોયુ કે જનાબે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એમની પાસે તશરીફ લાવ્યા અને તેમનું આખુ ઘર રોશન(ચમકીલું) થઈ ગયુ. આપે ફરમાવ્યુ તમારૂ મોઢું લાવો જેનાથી દુરૂદ પઢો છો જેને હું ચુંબન કરૂં. તે માણસે શરમનાં કારણે ગાલ સામે કરી દીઘાં. આપે તે ગાલ પર ચુંબન કર્યુ. ત્યારબાદ તેમની આંખ ખુલી ગઈ જેથી તેમનાં આખા ઘરમાં મુશ્કની ખૂશ્બુ બાકી રહી ગઈ.(ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૪)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના રવ્ઝા-એ-મુબારક પર કોઈકની તરફથી સલામ પહોંચાડવુ

હઝરત યઝીદ બિન અબી સઈદ અલ-મદની (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે:

એક વખત (જ્યારે મેં મદીના-મુનવ્વરાના સફરનો ઈરાદો કર્યો, તો રવાનગીથી પેહલા) હું હઝરત ઉમર બિન અબ્દુલ-અઝીઝ (રહ઼િમહુલ્લાહ) ની ખિદમતમાં હાજર થયો.

હઝરત ઉમર બિન અબ્દુલ-અઝીઝ રહ઼િમહુલ્લાહે મારાથી ફરમાવ્યું: મારી એક તમન્ના છે અને હું ચાહતો છું કે તમે તેની તકમીલ કરી લો. મેં અરજ કર્યું: અમીરૂલ-મોમિનીનઃ તમારી શું તમન્ના છે જેની હું તકમીલ કરી દવું?

તેમણે જવાબ આપ્યોઃ જ્યારે તમે મદીના-મુનવ્વરા પહોંચો અને હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના રવ્ઝા-એ-મુબારકની સામે હાજર થઈ જાવો, તો તમે મારા સલામ હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને પહોંચાડી દો. (શુઅબુલ-ઈમાન, અલ-કવલુલ-બદી’)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4370

Check Also

દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત

عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...