ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાં ઝકાત એ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વર્ષ ૨ હિજરીમાં રમઝાનના રોઝા ફર્ઝ થવા પહેલા જકાત ફર્ઝ કરવામાં આવી હતી.
કુરાને-કરીમની ઘણી આયતો અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઘણી હદીસોમાં ઝકાત અદા કરવાની ફઝીલત અને મહાન સવાબનું વર્ણન કરવામાં આવ્યું છે.
હઝરત હસન (રઝિ.) થી બયાન કરવામાં આવ્યું છે કે રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: ઝકાત દ્વારા તમારા માલ ની (રૂપિયા પૈસા વગેરેની) હિફાજત કરો, તમારા બીમારોની સારવાર સદકા દ્વારા કરો અને બલા, મુસીબત મુશ્કેલીઓની મોજો નો દુઆ અને અલ્લાહ તઆલા સામે આજિઝી સાથે આવકાર કરો.
અન્ય એક હદીસમાં જણાવવામાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: જો કોઈ વ્યક્તિ તેના માલની ઝકાત અદા કરે, તો તે માલનો શર (ખરાબી) તેનાથી ચાલી જાય છે. (અલ-મુ’જમુલ-વસ્ત઼, અર્-રક઼મઃ ૧૫૭૯)