ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: ٢٤١٧)
એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હઝરત અબૂ બકર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત તલ્હા, હઝરત ઝુબૈર અને હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુમ સાથે કોહે હિરા પર ચઢ્યા. (પોતાની ઉપરની આ મહાન હસ્તીઓને જોઈને) પહાડ (ખુશીથી) હલવા લાગ્યો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:
“એ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી.”
નોંધઃ હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ સન ૩૬ હિજરીમાં જંગે-જમલ દરમિયાન શહીદ થયા હતા.
હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝ઼િયલ્લાહુ અન્હુનો ઇસ્લામ
જે દિવસથી હઝરત અબૂ-બક્ર સિદ્દીક રઝ઼િયલ્લાહુ અન્હુએ ઇસ્લામ કબૂલ કર્યો ત્યારથી તેમણે લોકોને ઇસ્લામ તરફ બોલાવવાનું શરૂ કર્યું; તેથી, અલ્લાહ તઆલાએ તેમને અન્ય ઘણા સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમ માટે ઇસ્લામમાં દાખલ થવા માટે તેમને માધ્યમ બનાવ્યાં. હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝ઼િયલ્લાહુ અન્હુ પણ એ સહાબાઓમાં સામેલ હતા જેમણે હઝરત અબૂ બકર સિદ્દીક રઝ઼િયલ્લાહુ અન્હુના માધ્યમથી ઇસ્લામ સ્વીકાર્યો હતો.
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ બયાન કરે છે:
એકવાર હું બિઝનેસ માટે બસરા ગયો. એક દિવસ હું બસરાના બજારમાં હતો ત્યારે મેં એક રાહિબને તેના ગિરજા (ખ્રિસ્તીઓની ઇબાદતગાહ) માંથી પુકારતા સાંભળ્યા, “શું અહીં કોઈ મક્કા-મુકર્રમાના હ઼રમનો રહેવાસી છે?” મેં જવાબ આપ્યો કે હું મક્કા-મુકર્રમાના હ઼રમનો રહેવાસી છું.
(રાહિબનો અર્થ ડરવા વાળો, અર્થાત પહેલાના જમાનામાં અલ્લાહની ઇબાદત કરવા માટે દુનિયા છોડવા વાળો ખ્રિસ્તી પુરુષ)
રાહિબે પૂછ્યું: શું અહ઼મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ જાહેર (પ્રકટ) થઈ ગયા? મેં રાહિબને વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું: તમે (અહ઼મદના નામે) કોના વિશે પૂછી રહ્યા છો?
રાહિબે જવાબ આપ્યો: અબ્દુલ્લાહ બિન અબ્દુલ-મુત્તલિબનો પુત્ર. આ તે મહિનો છે જેમાં તે જાહેર થશે. તે મક્કા-મુકરરમાના હ઼રમમાં જાહેર થશે અને એક પથ્થરેલી જમીન (એટલે કે પહાડી વિસ્તાર) તરફ હિજરત કરશે, જ્યાં ખજૂરનાં ઝાડો ઘણા વધારે હશે. તેજ સબસે આખરી નબી (અંતિમ અવતાર) છે. તેમની ઇત્તિબામાં (અનુસરવામાં) વિલંબ કરશો નહીં.
હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ ફરમાવે છે કે રાહિબની વાતની મારા દિલ પર ઊંડી અસર થઈ, હું તરત જ મક્કા-મુકર્રમા પાછો ફર્યો અને લોકોને પૂછ્યું કે જ્યારે હું સફરે નીકળ્યો હતો ત્યારે મારી ગેરહાજરીમાં કંઈ નવું બન્યું હતું?
તેઓએ જવાબ આપ્યો કે હા, સાચા અને અમાનતદાર મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે નબી હોવાનો દાવો કર્યો છે અને અબૂ-કુહાફા નો પુત્ર (એટલે કે હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અન્હુ) તેમની સાથે જોડાય ગયા છે.
જરા પણ મોડુ કર્યા વગર હું હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અન્હુ પાસે ગયો. તેઓ મને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે લઈ ગયા. મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં પહોંચીને ઇસ્લામ કબૂલ કર્યો અને બસરામાં મારી અને રાહીબ વચ્ચે જે ઘટના ઘટી હતી. તેને આપ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ સામે વિગતવાર બયાન કરી. (અલ્-અસાબા ૪૧૯/૫)