قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ﴿٤﴾ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾
તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે તે ફેલાય જાય (૩) ગાંઠોમાં ફૂંક મારવા વાળીઓના શરથી (૪) અને હસદ (ઈર્ષ્યા) કરવા વાળાના શરથી, જ્યારે તે હસદ કરવા લાગે (૫)
(પનાહ= શરણ, બચાવ, હિફાજત)
(શર = દુષ્ટતા, બુરાઈ, શરારત)
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ﴿١﴾ مَلِكِ النَّاسِ ﴿٢﴾ إِلَٰهِ النَّاسِ ﴿٣﴾ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ﴿٤﴾ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ﴿٥﴾ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ﴿٦﴾
તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી જવા વાળો છે (૪) જે લોકોના દિલોમાં વસવસો નાંખે છે (૫) પછી ભલે તે (વસવસો નાંખવાવાળો) જીનમાંથી હોય કે લોકોમાંથી (હું પનાહ માંગું છું) (૬)
(મા’બૂદ = જેની પૂજા અને ઇબાદત કરવામાં આવે, અલ્લાહ)
(વાસવસો = દુષ્ટ વિચાર, ખરાબ ખ્યાલ, દીન વિરોધી વિચાર જે શેતાન પેદા કરે છે)
આ બે સૂરતો (એટલે કે સૂરહ-ફલક અને સૂરહ-નાસ) મદીના મુનવ્વરા ખાતે નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની હિજરત પછી નાઝિલ થઈ (ઉતરી) હતી, તેથી જ આ બંને સૂરતોને મદની સૂરત કહેવામાં આવે છે.