રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખુશ હોવાનું કારણ

عن أبي طلحة الأنصاري رضي الله عنه قال: أصبح رسول الله صلى الله عليه وسلم يوما طيب النفس يرى في وجهه البشر قالوا: يا رسول الله أصبحت اليوم طيب النفس يرى في وجهك البشر قال: أجل أتاني آت من ربي عز وجل فقال: من صلى عليك من أمتك صلاة كتب الله له بها عشر حسنات ومحا عنه عشر سيئات، ورفع له عشر درجات ورد عليه مثلها (مسند أحمد: الرقم: 16352، وفي سنده ضعف كما في القول البديع صـ 247)

હઝરત અબૂ-તલ્હા અન્સારી (રઝ઼િયલ્લાહુ અન્હુ) થી રિવયાત છે કે એક સવારના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) અમારી સામે એવી હાલતમાં આવ્યા કે આપ ઘણાં ખુશ હતા અને મુબારક ચેહરા પર ખુશી અણસાર દેખાઈ રહ્યા હતા. સહાબા-એ-કિરામ (રઝ઼િયલ્લાહુ અન્હુમે) વિનંતી કરી: એ અલ્લાહ તઆલાના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) આજે તમે ઘણા ખુશ છો. તમારા મુબારક ચેહરા પર ખુશીના અણસાર દેખાઈ રહ્યા છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) જવાબ આપ્યો, “હાં (મેં ઘણો ખુશ છું, એટલા માટે કે) મારી પાસે મારા અલ્લાહ તઆલાનો એક દૂત (સંદેશો આપનાર) આવ્યો હતો. તેણે મને કહ્યું કે તમારી ઉમ્મતમાંથી જે કોઈ પણ તમારા ઉપર એક દુરૂદ મોકલશે, અલ્લાહ તઆલા તેના માટે દસ નેકિયો લખશે, તેના દસ ગુનાહોને ભૂંસી નાંખશે, જન્નતમાં તેના દસ દરજાત બુલંદ કરશે અને તેના દુરૂદનો એવીજ રીતે જવાબ આપે છે (તેના દુરૂદના બદલામાં અલ્લાહ તઆલા તેના પર રહમત નાઝિલ ફરમાવે છે).

દુરૂદ ની સાથે સલામ પણ મોકલો

ઈબ્રાહીમ નસફી (રહ.) કહે છે મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સપનાંમાં ઝિયારત કરી તો મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને કંઈક મારાથી નાખુશ મહસૂસ કર્યા તો મેં જલ્દીથી હાથ લંબાવી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના મુબારક હાથને ચુંબન કર્યું, યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હું તો હદિષે પાક નો નોકર છું, સુન્નતવાળાઓમાંથી છું, મુસાફીર છું, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મુસ્કુરાવીને ફરમાવ્યુ કે જ્યારે તમે મારા પર દુરૂદ મોકલો છઓ તો સલામ કેમ નથી મોકલતા. ત્યાર પછી થી મારો હંમેશાનો અમલ થઈ ગયો કે હું “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખવા લાગ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નં- ૧૬૩)

મખસૂસ ખાવાનું મળવું

હઝરત શાહ વલિયુલ્લાહ (રહ઼િમહુલ્લાહ) પોતાનો રિસાલો (પુસ્તિકા) હિરઝે-સમીનમાં મુકાશફા નંબર-૧૯ પર લખે છે કે મને મારા વાલિદે ઈરશાદ ફરમાવ્યું કેઃ

તેવણ રમઝાનુલ-મુબારકમાં સફર કરી રહ્યા હતા, ઘણીજ સખત ગરમી હતી જેના કારણે ઘણી મશક્કત (તકલીફ) ઉઠાવવી પડી. તેવીજ હાલતમાં મને ઊંઘ આવી ગઈ, તો નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની સપનામાં ઝિયારત થઈ. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઘણુંજ ટેસ્ટી ખાવાનું જેમાં ચાવલ અને મીઠુ અને જાફરાન અને ઘી ઘણું બઘુ હતુ (ઘણોજ મજેદાર જરદો) અર્પણ ફરમાવ્યો જેને પેટ ભરીને ખાઘુ. પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) પાણી આપ્યું જેને ધરાઈને પીધુ જેનાથી ભૂખ-તરસ બઘી જતી રહી અને જ્યારે આંખ ખુલી, તો મારા હાથોમાંથી જાફરાનની ખુશ્બૂ આવી રહી હતી.

નોટઃ- હઝરત શાહ વલિયુલ્લાહ (રહ઼િમહુલ્લાહ) ના વાલિદ-માજીદ અને તેમના ઘરવાળા નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ના સાચા આશિક અને વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાવાળા હતા. (ફઝાઈલે-દુરૂદ, પેજ નં-૧૯૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5585

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...