عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: أولى الناس بي يوم القيامة أكثرهم علي صلاة (سنن الترمذي، الرقم: ٤٨٤ وحسنه الإمام الترمذي رحمه الله)
હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું: “કયામતના દિવસે મારાથી સૌથી વઘુ નજીક તે માણસ હશે જેણે મારા ઉપર સૌથી વઘારે પ્રમાણમાં દુરૂદ પઢીને મોકલ્યા હશે (દુન્યવી ઝિંદગીમાં).”
દુરૂદની વિપૂલતાનાં કારણે ઉત્તમ ખુશ્બુ નીકળવી
હઝરત મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નાં દામાદે એક વખત હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) થી વર્ણવ્યુ કે મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નો જે મકાનમાં ઈન્તેકાલ થયો, ત્યાંથી એક મહિનાં સુઘી અત્તરની ખુશ્બુ આવતી રહી.
હઝરત મૌલાના કાસીમ નાનોતવી સાહબ (રહ.) ને આ વાત વર્ણવી. એમણે ફરમાવ્યુ આ બરકત દુરૂદ શરીફની છે.
હઝરત મૌલાના ફૈઝુલ હસન સહારનપૂરી (રહ.) નો મામૂલ (હંમેશાનો અમલ) હતો કે દરેક જુમ્આની રાત્રે જાગી ને દુરૂદ શરીફનો વિર્દ (ઝિક્ર) કરતા હતા. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ૧૫૩)
હઝરત હકીમ બિન હિઝામ રઝ઼િયલ્લાહુ અન્હુએ માંગવાનું છોડી દીઘુ
હઝરત હકીમ બિન હિઝામ રઝ઼િયલ્લાહુ અન્હુ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયા અને કંઈક માંગ્યું. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આપી દીઘુ. પછી બીજા કોઈ મૌકા પર કંઈક માંગ્યું. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરીથી આપી દીઘુ.
ત્રીજી વખત ફરીથી સવાલ કર્યો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આપી દીઘુ અને આ ઈરશાદ ફરમાવ્યું કે “હકીમ આ માલ લીલા રંગના બાગ જેવો છે. જાહેરમાં ઘણી મીઠી વસ્તુ છે. પણ તેનો દસ્તૂર આ છે કે જો આ દિલના ઈસ્તિગનાથી મળે, તો તેમાં બરકત થાય છે અને જો લાલચથી હાસિલ થાય, તો તેમાં બરકત નથી હોતી એવો થઈ જાય છે (જેવી રીતે જૂ’-ઊલ-બકરની બીમારી હોય) કે દરેક સમયે ખાતો જાય અને પેટ ન ભરાય.” હકીમ રઝ઼િયલ્લાહુ અન્હુએ અરજ કર્યુ યા રસૂલુલ્લાહ! તમારા પછી હવે કોઈને નહી સતાવીશ. (સહીહુલ-બુખારી)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://ihyaauddeen.co.za/?p=4363