રૌઝ-એ-અકદસની ઝિયારતની ફઝીલત

‎‎عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني ‏والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ: من حج فزار قبري بعد موتي كان كمن زارني في ‏حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۱۸٤)‏‏‏

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિય અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ જે મારી વફાત પછી મારી કબરની ઝિયારત કરે, તે એવો છે જાણેકે તેણે મારા જીંદગીમાં મારી ઝિયારત કરી.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ની ખુશી

ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ પોતાની દુઆની કિતાબમાં બયાન કર્યુ છે કે તેવણને એક વખત ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારતનો શરફ હાસિલ થયો. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ નો દેખાવ હૂબહૂ તેવો જ હતો જે મુબારક-હદીસો માં વર્ણન કરવામાં આવ્યો છે.

ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ આપ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ને સલામ કર્યુ અને કહ્યુઃ હે અલ્લાહ તઆલાનાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ! અલ્લાહ તઆલાએ મારા દિલમાં અમૂક કલિમાત નાંખ્યા છે, શું હું તેને આપની સામે અરજ કરૂં? નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ફરમાવ્યુઃ તે કલિમાત શું છે? ઈમામ તબરાની રહિમહુલ્લાહ એ જવાબ આપ્યોઃ

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ حَمِدَكَ وَلَكَ الْحَمْدُ بِعَدَدِ مَنْ لَمْ يَحْمَدْكَ وَلَكَ الْحَمْدُ كَمَا ‏تُحِبُّ أَنْ تُحْمَدَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ صَلَٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ ‏مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ أَنْ يُصَلّٰى عَلَيْهِ

હે અલ્લાહ! આપનાં માટે જ તારીફ (પ્રશંસા) છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની તારીફ કરી અને આપના માટે જ તારીફ છે તે લોકોની સંખ્યાનાં બકદર જેઓએ આપની તારીફ નથી કરી અને આપના માટે જ તારીફ છે જેવી રીતે તમો પોતાની તારીફ પસંદ ફરમાવો છો. હે અલ્લાહ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો તે લોકોની સંખ્યાનાં અનુસાર જેઓએ તેમના પર દુરૂદ મોકલ્યુ અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો તે લોકોની સંખ્યાનાં અનુસાર જેઓએ તેમના પર દુરૂદ ન મોકલ્યુ અને મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદ મોકલો જેવી રીતે તમે એમના પર દુરૂદ મોકલવાનું પસંદ ફરમાવો છો.

‍‍‍અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હમ્દો-સના (તારીફ) અને દુૃરૂદ-શરીફનાં આ શાનદાર કલિમાતને સાંભળીને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ઘણાં વધારે ખુશ થયા અને એટલા હસ્યા કે સામેના મુબારક દાંત દેખાતા થઈ ગયા અને તેના દરમિયાન રોશની નજર આવવા લાગી. (અલ-કવલુલ બદી- પેજ નં-૧૩૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત

عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...