બીજા અંબિયા અલૈહિમુસ્સલામ ની સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ અલયહિ ‎વ-સલ્લમ પર દુરૂદ મોકલવુ

عن قتادة عن أنس قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا صليتم علي المرسلين فصلوا علي معهم فإني رسول من المرسلين ( الصلاة على ‏النبي لابن أبي عاصم، الرقم: ٦۹، وإسناده حسن جيد لكنه مرسل  كما في القول البديع صـ ۱۳٤)‏

હઝરત અબુ કતાદા ર’દિયલ્લાહુ ‘અન્હૂ હઝરત અનસ ર’દિયલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ જ્યારે તમે અંબિયા અલૈહિમુસ્સલામ પર દુરૂદ મોકલો, તો તેમની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોમાં થી એક રસૂલ છું.

નોટ: આ હદીસ-શરીફમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે આપણને તાલીમ આપી છે કે જ્યારે આપણે બીજા અંબિયા અલૈહિમુસ્સલામ પર દુરૂદ મોકલીએ, તો આપણને જોઈએ કે આપણે તેની સાથે નબી સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ પર પણ દુરૂદ મોકલે, તેથી જ્યારે આપણે કોઈ નબીનું નામ લઈએ, તો આવી રીતે કહોઃ

عَلَيْهِ وَعَلٰى نَبِيِّنَا الصَّلَاةُ وَالسَّلَامُ

તેમના પર અને અમારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ) પર દુરૂદો-સલામ નાઝિલ થાય.

અહાદીસે-શરીફાની બરકત

હઝરત અબૂ-અહમદ અબ્દુલ્લાહ બિન બકર બિન મુહમ્મદ રહિમહુલ્લાહ એ એક વખત બયાન ફરમાવ્યુ કે કુરાનના ઈલ્મ પછી સૌથી મુબારક અઝમત વાળી અને દુનિયા તથા આખિરતમાં સૌથી વધારે ફાયદા વાળી વસ્તુ મુબારક હદીસો નો ઈલ્મ છે. અહાદીસે-મુબારકાનાં કારણે ઈન્સાનને ઘણો વધારે સવાબ મળે છે. કારણકે તે જયારે પણ કોઈ હદીસ-શરીફ પઢે છે, તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ની હદીસો બાગોની જેમ છે, જ્યાં તમને દરેક પ્રકારની ભલાઈ, ખૈર, સુધાર અને ફઝીલત તથા ઝિકર મળશે. (અત્તરગીબ વત્તરહીબ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...